AI in Agriculture: AI અને ન્યુટ્રાસ્યુટિકલ્સ દ્વારા ગ્રામિણ કૃષિમાં નવી તકનો ઉદય
AI in Agriculture: ખેતીમાં ટેકનોલોજીનો ઉપયોગ હવે નવા યુગનું નિર્માણ કરી રહ્યો છે. ઇન્ડિયા ચેમ્બર્સ દ્વારા ન્યુટ્રિફાય ટુડેના સ્થાપક અને CEO અમિત શ્રીવાસ્તવનો ગ્રામીણ આર્થિક મંચમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ‘વન ઇન્ડિયા પ્રોજેક્ટ’ હેઠળ ગ્રામીણ ભારતમાં AI, ઓર્ગેનિક ખેતી તથા ન્યુટ્રાસ્યુટિકલ ક્ષેત્રમાં મોટા પરિવર્તન માટે તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે.
AI આધારિત કૃષિ સંશોધન
અમિત શ્રીવાસ્તવે NutrifyGenie AI નામનું પ્લેટફોર્મ વિકસાવ્યું છે, જે કૃષિ સંશોધન અને પોષણ વિજ્ઞાન માટે એક ક્રાંતિકારી સાધન છે. આ AI ટેકનોલોજી આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક જર્નલોમાં પણ માન્યતા મેળવી ચૂકી છે.
નવી જવાબદારીઓ
અમિત શ્રીવાસ્તવે ગ્રામીણ ક્ષેત્રમાં અનેક મહત્વપૂર્ણ ભૂમિકાઓ નિભવવાની છે:
AI ટ્રેસેબિલિટી સિસ્ટમ: ખેડૂતથી ગ્રાહક સુધી પારદર્શક સપ્લાય ચેઇન સુનિશ્ચિત થશે.
ખેડૂતોનું સશક્તિકરણ: નાના ખેડૂતોને ઓર્ગેનિક ખેતી દ્વારા વધારે આવક મેળવવામાં સહાય મળશે.
સપ્લાય ચેઇનમાં નવા ફેરફારો: ખેતી, પ્રક્રિયા અને માર્કેટિંગમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થશે.
સંશોધનનો વિકાસ: IIT કાનપુર અને ICMR સાથે મળીને પોષણ સુરક્ષા માટે રાષ્ટ્રીય માર્ગદર્શન બનાવાશે.
પર્યાવરણીય સંરક્ષણ: “ગૌવન” પ્રોજેક્ટ દ્વારા કાર્બન શોષણ તથા રોજગારનો વિકાસ થશે.
ન્યુટ્રાસ્યુટિકલ બજારમાં ભારતનો વિકાસ
ભારતમાં ન્યુટ્રાસ્યુટિકલ બજાર 2015માં $2 બિલિયનથી 2025માં $20 બિલિયન સુધી પહોંચ્યું છે. આ ક્ષેત્ર દર વર્ષે 13.5%ના દરે વધી રહ્યું છે. અમિત શ્રીવાસ્તવે જણાવ્યું કે આ સફર ભારતને વૈશ્વિક પોષણ બજારમાં અગ્રણી બનાવશે.
અમિત શ્રીવાસ્તવની નિમણૂક માત્ર ગ્રામીણ ભારતના વિકાસ માટે જ નથી, પણ તે પોષણ વિજ્ઞાન, ઓર્ગેનિક ખેતી તથા ફૂડ-ટેક ક્ષેત્રમાં ભારતને વૈશ્વિક નેતા બનાવતી મહત્વપૂર્ણ પહેલ છે.