India Agrochemical Export: ભારતનો કૃષિ રસાયણ નિકાસમાં સુધારો
India Agrochemical Export: ભારતની કૃષિ રસાયણ નિકાસ માટે નાણાકીય વર્ષ 2025 આશાવાદી સાબિત થઈ રહ્યું છે. ગયા વર્ષે જોવા મળેલા ઘટાડા બાદ હવે વૈશ્વિક માંગમાં સુધારો, ખર્ચમાં ઘટાડો અને ઉત્પાદન વૈવિધ્યીકરણના કારણે ભારતીય કૃષિ રસાયણ ઉદ્યોગ ફરીથી તેજી પકડે તેવી શક્યતા છે.
નાણાકીય વર્ષ 2024 માં 22% ઘટાડો
નાણાકીય વર્ષ 2024 દરમિયાન ભારતીય કૃષિ રસાયણ નિકાસમાં લગભગ 22%નો ઘટાડો થયો હતો. મુખ્ય કારણો હતા:
વૈશ્વિક વિતરકો દ્વારા સ્ટોકમાં ઘટાડો
ચીન દ્વારા સસ્તા ભાવે સપ્લાય
અનેક દેશોમાં ખરાબ હવામાનને કારણે માંગમાં ઘટાડો
2025 માટે અપેક્ષિત સુધારો
હવે પરિસ્થિતિમાં પલટો આવી રહ્યો છે.
વૈશ્વિક સ્ટોક સામાન્ય બનતા માંગમાં વધારો
ખેતી ચક્રમાં સુધારો
ભારતીય કંપનીઓ દ્વારા ખર્ચમાં ઘટાડો તથા વૈવિધ્યીકરણ
હર્બિસાઇડ્સનું ઉદભવ
હર્બિસાઇડ્સ (નીંદણ નિયંત્રણ રસાયણો) ભારતના કૃષિ રસાયણ નિકાસમાં મુખ્ય ઉત્પાદનો બની ગયા છે.
નાણાકીય વર્ષ 2020 થી 2025 સુધી 20%નો વાર્ષિક વૃદ્ધિ દર
કુલ નિકાસમાં હિસ્સો 31% થી વધીને 37%
મુખ્ય બજારોમાં ફેરફાર
ભારતના કૃષિ રસાયણો માટે અમેરિકાએ દિર્ઘકાળ સુધી મુખ્ય બજારનું સ્થાન જાળવ્યું છે, જયારે જાપાન હવે બ્રાઝિલને પાછળ રાખીને બીજા સ્થાને આવી ગયું છે.
ભવિષ્ય માટે આશાવાદી સ્થિતિ
ખર્ચમાં ઘટાડો, ઉત્પાદન વૈવિધ્યીકરણ તથા વૈશ્વિક માંગમાં વધારાના કારણે ભારતીય કૃષિ રસાયણ નિકાસ માટે નાણાકીય વર્ષ 2025 આશાવાદી રહેવાની સંભાવના છે. ખાસ કરીને હર્બિસાઇડ્સમાં ભારતીય ઉદ્યોગની પકડ મજબૂત બનતી જાય છે.