70
/ 100
SEO સ્કોર
Viksit krishi sankalp abhiyan: શિવરાજ સિંહ ચૌહાણે જાહેર કર્યું વિકસિત કૃષિ અભિયાન, 29 મેથી શરૂ થશે ઝુંબેશ
Viksit krishi sankalp abhiyan: કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે નવી દિલ્હીમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી કે દેશમાં 29 મે થી 12 જૂન, 2025 સુધી “વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન” ચલાવવામાં આવશે. આ અભિયાનનો ઉદ્દેશ ખેડૂતને ખરીફ પાક અને આધુનિક કૃષિ તકનીકો અંગે સીધી માહિતી આપવાનો છે. આ અભિયાન ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR) ના સહયોગથી હાથ ધરાશે.
કૃષિ મંત્રાલયની 5 મુખ્ય પ્રાથમિકતાઓ
- પાકની ઉત્પાદકતા વધારવી
- ખર્ચ ઘટાડવો
- આફત સમયે વળતર આપવું
- ઊત્પાદન માટે યોગ્ય ભાવ મળે તેની સુવિધા
- કુદરતી ખેતી પર ભાર
અભિયાનની મુખ્ય હાઇલાઇટ્સ
- દેશભરના 65,000થી વધુ ગામડાઓમાં યોજાશે.
- 723 જિલ્લાઓમાં 3-3 ટીમો મોકલાશે, જેમાં કૃષિ વૈજ્ઞાનિકો અને નિષ્ણાતો હશે.
- 2170થી વધુ વૈજ્ઞાનિક ટિમો રચાશે, દરેકમાં 4-5 નિષ્ણાતો હશે.
- 1.30 કરોડથી વધુ ખેડૂતો સાથે સીધો સંપર્ક કરવાનો લક્ષ્યાંક.
- દરેક ટીમ દરરોજ 3 પંચાયતોમાં કાર્યક્રમ કરશે, 500-600 ખેડૂતો સામેલ થશે.
શું મળશે ખેડૂતોને?
- ખરીફ પાક માટે શ્રેષ્ઠ પદ્ધતિઓ અંગે માર્ગદર્શન
- પશુપાલન, મરઘાં ઉછેર, મત્સ્ય ઉદ્યોગ માટે નવીન માહિતી
- સોઇલ હેલ્થ કાર્ડ અને ખાતર ઉપયોગ અંગે જાગૃતિ
- કુદરતી ખેતી, ડ્રોન ટેકનોલોજી, નેનો યુરિયા/DAP અંગે પ્રદર્શન
- સરકારી યોજનાઓ અને નીતિઓ અંગે માહિતી
- વિજ્ઞાનીઓ સાથે સીધી ચર્ચા અને સમસ્યાઓનો ઉકેલ
મંત્રીની વાત
શિવરાજ સિંહે જણાવ્યું કે “એક રાષ્ટ્ર, એક કૃષિ, એક ટીમ” ના સંકલ્પ સાથે આ અભિયાન ખેડૂતોને વૈજ્ઞાનિક મદદ આપશે. હવે સંશોધન લેબ પૂરતું નહીં, પણ તે સીધું ખેડૂતો સુધી પહોંચશે. આ અભિયાનમાં ખેડૂતો પાસેથી સૂચનો અને પ્રતિભાવ પણ લેવામાં આવશે.
આ અભિયાનથી દેશના ખેડૂતોને નફાકારક અને આધુનિક ખેતી તરફ દોરી જવાનું મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.