અમદાવાદમાં ગત મધરાત્રે 1.10 વાગ્યે અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર અકસ્માત જોવા ઉભા રહેલા લોકોના ટોળાને જેગુઆરે 160થી વધુ કિમીની ઝડપે અડફેટમાં લેતા 9 લોકોના મોત થવાની ઘટના અંગે CM ભુપેન્દ્ર પટેલે દુઃખ વ્યક્ત કર્યું છે.
તેઓએ ટ્વીટ કરી કહ્યું કે અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર બુધવાર રાત્રે થયેલ અકસ્માત ખૂબ દુઃખદ છે.અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતકોના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50,000 ની સહાય કરશે.