ખુબજ ઊંચી વગ ધરાવતા પૈસાદાર લોકો અહીં કઈપણ કરે તો તેઓ સામે કડક કાર્યવાહી નહિ થતી હોવાથી આવા તત્વો પૈસાના જોરે તંત્રને ખિસ્સામાં લઈને ફરી રહયા છે અને ખુલ્લેઆમ કુરદરતી સાંપદા નું સત્યાનાશ વાળી રહયા છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે રમત રમી રહયા છે.
અમદાવાદમાં ચોમાસામાં પ્રદૂષણ ફેલાવતા તત્વો બેફામ બની જાય છે અને કોઈના ડર વિના બિન્દાસ કેમિકલયુક્ત પાણી સાબરમતીમાં છોડી રહ્યા છે આ કેમિકલ હાલ ખેતરોમાં ફેલાઈ ગયુ છે જે કેમિકલવાળા શાકભાજી લોકો આરોગી રહયા હોય સ્વાસ્થ્ય ખરાબ થઈ રહયા છે.
આ કેમિકલ વાળું પાણી બહેરામપુરા અને દાણીલીમડાના અનેક ખેતરોમાં ફેલાઈ રહ્યું છે અને સુએજ ફાર્મ ગુલાબનગર વિસ્તારના લોકોની હાલત પણ કફોડી બની છે. ત્યારે આ બેફામ પ્રદૂષણ માફિયાઓ સામે જલ્દીથી પગલાં ભરવામાં આવે તે જરૂરી છે, નહિતર સાબરમતીના અસ્તિત્વ પર સંકટ આવી શકે છે.
મહત્વનું છે કે નદીઓ પ્રદુષિત થઈ રહી છે અને તાજેતરમાં એક અહેવાલ મુજબ ગુજરાતમાં સાબરમતી-ભાદર સહિત કુલ ૧૩ નદીઓ પ્રદૂષિત હોવાનુ સામે આવ્યુ છે.
પ્રદૂષણ અટકાવવા કરોડોનો ખર્ચ છતાં સ્થિતિમાં સુધારો જોવા મળ્યો નથી. સાબરમતી નદીમાં રાયસણથી વૌઠા સુધી પટ્ટમાં બાયોકેમિકલ ડિમાન્ડ સૌથી વધુ ચિંતાજનક ૨૯૨ નોંધાઇ. CPCB ના રિપોર્ટ પ્રમાણે સાબરમતી નદી સૌથી પ્રદુષિત નદી સાથે બીજા નંબરે છે.