અમદાવાદમાં ગેસના બટલના ગોડાઉનમાં આગ લાગતા ધડાધડ એક બાદ એક ગેસના બાટલા ફાટતા ભારે ભાગદોડ મચી ગઇ હતી.
નિકોલ વિસ્તારમાં કઠવાડા રોડ ઉપર ઈશ્વર દાદાજીની વાડી પાસે આવેલા ગેસના બાટલાના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા ફાયરબ્રિગેડની 7 ગાડીઓ ઘટના સ્થળે ધસી ગઈ હતી. આ ગોડાઉનમાં એલપીજી ગેસના બાટલાનો સ્ટોક હતો અને આગ લાગતા ગેસના બાટલા ફાટતાં લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો.
નિકોલ વિસ્તારમાં આવેલું આ ગોડાઉન રાકેશસિંહ બિહોલા નામના વ્યક્તિની માલિકીનું હતું. સંજય પટેલ નામના વ્યક્તિને ગોડાઉન ભાડે આપવામાં આવ્યું હતુ. કાચા પતરાવાળા મકાનમાં એલપીજી ગેસ સિલિન્ડર રાખવામાં આવ્યા હતા અને કોઇ આકસ્મિક કારણોસર આગ લાગતા પોલીસ અને ફાયરબ્રિગેડની સ્થળ ઉપર દોડી ગઇ હતી અને આગને કાબુ માં લીધી હતી.
જોકે,આગનું કારણ જાણી શકાયું ન હતું.
પોલીસે જવાબદારોની પૂછતાછ શરૂ કરી છે.