અમદાવાદમાં 2 વર્ષ બાદ 145મી રથયાત્રા નીકળી છે,CM ભુપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી રથ ખેંચી પ્રસ્થાન કરાવ્યું હતું , અમદાવાદમાં જગતના નાથ નગરચર્યાએ નીકળ્યા છે,કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર છે તેઓએ મંગળા આરતી કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જગન્નાથ મંદિરે પહોંચ્યા હતા અને ભગવાન જગન્નાથ સહિત બળભદ્રજી અને બહેન સુભદ્રાના દર્શન કર્યા હતા અને તેમણે સોનાની સાવરણીથી કચરોવાળી પહિંદવિધિ કરી ત્રણેય રથને પ્રસ્થાન કરાવ્યું હતું.
સવારે 5.30 વાગ્યે ભગવાનને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. ટ્રક સહિત હાથી વગેરે મંદિરેથી પરંપરાગત રીતે નગરયાત્રાએ નીકળ્યા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સવારે 3.50 વાગ્યે જગન્નાથ મંદિરે પહોંચ્યા હતા. વહેલી સવારે 3:55 વાગ્યે ભગવાનના કપાટ ખુલ્યા હતા અને ચાર વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભગવાનની મંગળા આરતી કરી હતી. વહેલી સવારથી જગન્નાથ મંદિરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. રથની આસપાસ RAFના જવાનો ગોઠવવામાં આવ્યા છે.
આકાશ માર્ગેથી પણ સુરક્ષા નું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.