અમદાવાદમાં જમાલપુર ચાર રસ્તા પાસે મોડી રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ થતાં પથ્થરમારો અને એક જૂથના વાહનમાં આગચંપી થતાં ભારે નાસભાગ મચી ગઈ હતી.
વિગતો મુજબ જમાલપુરની ગઢાની ચાલીમાં રહેતા વ્યંડળને ત્યાં તેના પ્રેમીની અવરજવર વધતા લોકોએ વિરોધ કરતા મામલો બીચકયો હતો અને બે જૂથ વચ્ચે બબાલ થતાં તંગદિલી સર્જાઈ હતી.
ઘટના અંગે જાણ થતાં પોલીસનો કાફલો જમાલપુર ચાર રસ્તા ખાતે ધસી જતા તોફાનીઓમાં નાસભાગ મચી હતી, બીજી તરફ ફાયરબ્રિગેડે વાહનમાં લાગેલી આગ બુઝાવી હતી કેટલાક લોકો હાથમાં પાઇપો લઈ જાહેર રોડ ઉપર જોવા મળ્યા હતા.
કાગડાપીઠ પોલીસના જણાવ્યા અનુસાર, બે જૂથ વચ્ચે અગાઉ પણ બોલાચાલી થઈ હતી. જોકે શનિવારે એક યુવક બાઇક લઈ ગઢાની ચાલીમાં રહેતા વ્યંડળને મળવા આવતાં મામલો ગરમાયો હતો, જેને કારણે બોલાચાલી થતાં બે જૂથ સામસામે આવી જતા પથ્થમારો થયો હતો.
તોફાની તત્વોએ એક ઝૂંપડું, બે બાઈક, ટાયરમાં આગચંપી હતી.
આ ઘટનાને પગલે ગાયકવાડ હવેલી, દાણીલીમડા, કાગડાપીઠ પોલીસ સ્થળ ઉપર દોડી આવી હતી અને મામલો કાબુમાં લીધો હતો.