અમદાવાદ શહેરના મીઠાખળી ગામમાં આજે વહેલી સવારે ત્રણ માળનું જૂનું મકાન ધડાકાભેર તૂટી પડતા પાંચ જેટલા લોકો દટાયા હોવાનો કોલ મળતા ફાયરબ્રિગેડની પાંચ જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
ફાયરબ્રિગેડની ટીમ દ્વારા કાટમાળમાં દબાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી કરવામાં શરૂ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડની ટીમ પહોંચી ત્યારે નાના બાળક સહિત ચાર જેટલા લોકોને સ્થાનિકોની મદદથી બહાર કાઢી લેવામાં આવ્યા હતા. જ્યારે એક વ્યક્તિને ફાયરબ્રિગેડ દ્વારા કાટમાળ નીચેથી ઈજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢી 108 મારફતે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.
મૃતકનું નામનું નામ વિનોદભાઈ હોવાનું જાણવા મળ્યું છે જ્યારે ઈજાગ્રસ્ત વ્યક્તિઓમાંશિલ્પાબેન,કિશનભાઈ,ગૌરવ ભાઈ અનેતનિષ્કા (ઉં.વ.2)નો સમાવેશ થાય છે.