અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન અને અક્ષર ટ્રાવેલ્સ પ્રા.લિ દ્વારા ક્રૂઝ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ શરુ કરવામાં આવી છે.
આધુનિક ટેક્નોલોજીથી સજ્જ ક્રુઝનું આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા વર્ચ્યુઅલી ઉદ્દધાટન કરવામાં આવ્યુ છે.
હવે સહેલાણીઓ આ ક્રૂઝમાં અટલ બ્રીજથી દધિચી બ્રીજ અને દધિચી બ્રીજ અટલ બ્રીજનો 1 કલાક 30 મિનિટનો રાખો રાઉન્ડ માણી તરતી હોટલમાં બેસી રિવરફ્રન્ટનો નજારો લઈ શકશે.
લાઇફ સેવિંગ કિટ, સીસીટીવી કેમેરા અને લાઇટીંગ તેમજ ડીજે સાઉન્ડથી સજ્જ દેશમાં પ્રથમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટમાં 125થી 150 લોકો આ ક્રુઝમાં એક સાથે બેસી મનગમતી વાનગીઓ સાથેનું ભોજન તેમજ મુસાફરીનો આહલાદક આનંદ માણી શકશે.
જોકે એક વ્યકિતનો લંચનો ચાર્જ 1800 રૂ. અને 2 હજાર ડિનરનો ચાર્જ છે.
ટિકિટ માટે ઓનલાઈન https://aksharrivercruise.com/ સાઈટ પરથી બુકીંગ કરાવી શકાશે. અટલ બ્રિજ નીચે રિસેપ્સન તૈયાર કરવામાં આવ્યુ છે.