અમદાવાદ શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશનરશ્રી પ્રેમવિર સિંઘ, સંયુક્ત પોલીસ કમિશનરશ્રી એમ.એસ. ભરાડા તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી એ.એમ. મુનિયા દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે”એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે.
અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં સોસાયટી ખાતે પોતાના મકાનમાં રહેતા અને નરોડા ખાતે ફ્લેટ ધરાવતા, આઇટી વિભાગમાં કામ કરતા યુવાન પોતાની ડોકટર પત્ની સાથે જે ડિવિઝનના એસીપી પ્રદિપસિંહ જાડેજાને મળી, પોતાનું મકાન એક પોતાના પરિચિત મારફતે ભાડુઆતને મકાન ભાડે આપેલ હતું. પોતાના પાસે પોતાના મકાન ભાડે આપી, ભાડાની આવક થાય તે હેતુથી જરૂરિયાત મંદ ફેમિલી ભાડુઆતને ભાડે આપેલ હતું અને ભાડું મામૂલી રકમ હોઈ, થોડા સમય ભાડું આપ્યા બાદ એમનું ભાડું પણ આપતા નથી તેમજ એકાદ વર્ષ જેટલો સમય થવા છતાં, ખાલી કરતા નથી અને ભાડું પણ આપતા નથી. ઉલ્ટા મકાન ખાલી કરવાનું કહેતા, તમારે મકાન ખાલી કરવું હોય તો, મને રૂપિયા દેવા પડશે અને જેની પાસે જાવું હોય ત્યાં જાવ, રૂપિયા સિવાય મકાન ખાલી થશે નહિ, તેવું જણાવતા હોઈ, અને માથાભારે ભાડુઆત હોય, આ ભાડુઆતને ગમે તેમ કરીને મકાન ખાલી કરવા બાબતે ગળગળા થઈને રજૂઆત કરવામાં આવેલ હતી.
જે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજા દ્વારા અરજદારનું મકાન નરોડા વિસ્તારમાં હોય, નરોડા પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.જે. ભાટિયા રૂબરૂ મોકલતા, નાયબ પોલીસ કમિશનર ઝોન 04 સુશ્રી કાનન દેસાઈ તથા એસીપી જી ડિવિઝન વી.એન.યાદવના માર્ગદર્શન હેઠળ નરોડા પીઆઈ એસ.જે.ભાટિયા તથા સ્ટાફના હે.કો. અરવિંદસિંહ, પો.કો. પંકેશભાઈ, વિષ્ણુભાઈ, મયુરસિંહ, સહિતની ટીમ દ્વારા અરજદારની રજુઆત આધારે ભાડે રાખી, ખાલી નહીં કરેલ માથાભારે ભાડુઆતને પોલીસની ભાષામાં સમજાવતા, ભાડુઆત વિરૂદ્ધ લેન્ડ ગ્રેબીંગ ના કાયદા અન્વયે કાર્યવાહી કરવા જણાવતા અમદાવાદ શહેર પોલીસ દ્વારા મધ્યસ્થી થઈને સમજાવતા, ભાડુઆત, સદગૃહસ્થ એવા આઇટી એન્જિનિયર અને ડોકટર અરજદાર પતિ પત્નીને મકાન સોંપવા માટે તૈયાર થઈ ગયેલ અને મકાન ખાલી કરી, ચાવી સોંપી આપેલ હતી. માથાભારે ભાડુઆત દ્વારા ભવિષ્યમાં કોઈ હક્ક દાવો નહિ કરે અને પોતાનો મકાન ઉપર કોઈ અધિકાર નથી, તેવું અરજદારને જણાવી પણ દેવામાં આવેલ હતું.
સદગૃહસ્થ એવા આઇટી એન્જિનિયર અને ડોકટર અરજદાર દ્વારા અમદાવાદ શહેર પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. અમદાવાદ શહેર પોલીસ દ્વારા પણ *પોતાની ફરજ ગણાવી, અરજદાર હવેથી તકેદારી રાખવા વિનંતી.પણ કરવામાં આવેલ હતી.
સદગૃહસ્થ એવા આઇટી એન્જિનિયર અને ડોકટર અરજદાર પોલીસનો આવો અનોખો અનુભવ હતી અને પોતાના જિંદગીના કમાણી સમાન મકાનનો કબ્જો ભાડુઆત સાથે મધ્યસ્થી કરી, સમજાવી, સંવેદના પૂર્ણ કાર્યવાહી કરી, પરત મળતા, ખૂબ જ આનંદિત થઈ, અરજદાર દ્વારા આનંદ વ્યક્ત કરી, જો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ ના હોત તો, પોતાની જિંદગીની કમાણી સમાન પોતાના મકાન માટે રૂપિયા આપવા પડત, એવી લાગણી વ્યક્ત કરી, કામ કરનાર નરોડા પોલીસ સ્ટાફનો વારંવાર આભાર વ્યક્ત કરતા હોય, નરોડા પોલીસ સ્ટેશન ખાતે ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા.
અમદાવાદ શહેરના સંયુક્ત પોલીસ કમિશ્નર શ્રી એમ.એસ. ભરાડા તથા નાયબ પોલીસ કમિશ્નર સુશ્રી કાનન દેસાઈની સૂચનાથી *અમદાવાદ શહેર પોલીસ દ્વારા સદગૃહસ્થ એવા આઇટી એન્જિનિયર અને ડોકટર અરજદારને પોતાના મકાનનો કબ્જો પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, *પોલીસ પ્રજાની મિત્ર છે,એ સૂત્ર અમદાવાદ શહેર પોલીસે ફરીવાર સાર્થક કર્યું છે.