અમદાવાદ શહેરમાં ગોતા વિસ્તારમાં એક પોલીસકર્મીએ પોતાની પત્ની અને માસૂમ બાળકી સાથે 12મા માળેથી નીચે ઝંપલાવી દઇ આપઘાત કરતા ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે.
અમદાવાદના ગોતા વિસ્તારમાં દીવા હાઇટ્સમાં રહેતા પોલીસકર્મી કુલદીપસિંહ યાદવે પત્ની અને બાળકી સાથે આપઘાત કર્યો છે. તેઓ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં હોવાની વિગતો સામે આવી છે.
ત્રણ વર્ષની બાળકી આકાંક્ષી, પત્ની રિદ્ધિબેન અને પોલીસકર્મી કુલદીપસિંહ યાદવે મોડી રાત્રે દોઢ વાગે 12મા માળેથી ઝંપલાવીને આપઘાત કરી લીધો છે. આપઘાત પાછળનાં કારણો જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે.
આ બનાવ ને લઈ ભારે ચકચાર મચી ગઇ છે.