કોરોના માં અટવાઈ ગયેલું જનજીવન અને શાળાઓ હવે પૂર્વવત થઈ રહી છે ત્યારે અમદાવાદ શહેર માં 40 જેટલી સીબીએસઇ સ્કૂલો માં આજથી શિક્ષણ કાર્ય નો પ્રારંભ થઇ ગયો છે. સ્કૂલે મૂકવા આવતાં વાલીઓ પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવે અને ભીડ ન થાય તે માટે કોઈપણ વાલી કેમ્પસમાં પ્રવેશી શકશે નહીં. શરૂઆતના તબક્કામાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધા બંધ હોઈ વાલીઓએ જ બાળકોને સ્કૂલે મુકવા અને લેવાની વ્યવસ્થા કરવી પડશે. તમામ સ્કૂલોમાં ઓનલાઇનની સાથે ઓફલાઇન ક્લાસ પણ એક સાથે જ ચાલશે. જેથી ઘરે રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના શિક્ષણ પર પણ કોઇ અસર થશે નહીં.કોરોના મહામારીને કારણે લગભગ 10 મહિના પછી સ્કૂલો શરૂ થતા બાળકો અને શિક્ષકો પણ ઉત્સાહમાં જોવા મળી રહ્યો છે. શરૂઆતમાં ક્લાસના માત્ર 50 ટકા વિદ્યાર્થીઓને સ્કૂલે આવવાનું રહેશે અને વિદ્યાર્થીઓનો છૂટવાનો સમય પણ અલગ અલગ રહેશે.
સંચાલકોના મતે, ધો.10 અને 12ના વિદ્યાર્થીઓના જેટલા પણ વર્ગો થશે તેઓનો છુટવાનો સમય અલગ અલગ રહેશે. દરેક ક્લાસના છુટવાના સમય વચ્ચે 15 મિનિટનો સમય રહેશે. જેથી વિદ્યાર્થીઓ પાર્કિંગ કે લેવા માટે આવેલા વાલીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઇ રહે અને દરેક બેન્ચ ઉપર એક વિદ્યાર્થી બેસે તેવી વ્યવસ્થા કરાઈ છે.
Sunday, May 19