રાજ્ય માં સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણીઓ દરમિયાન આ વખતે ભાજપ અને કોંગ્રેસ માં ટિકિટ ફાળવણી મુદ્દે ભારે અસંતોષ નો માહોલ છે ત્યારે અમદાવાદ કોંગ્રેસ માં પણ છેલ્લા દિવસો થી ભારે વિવાદ ઉભો થયો છે. ધારાસભ્ય ઇમરાન ખેડવાલા થી પક્ષ ના જ કાર્યકરો નારાજ છે અને ખેડવાલા વિરુદ્ધ બેનરો પણ લાગ્યા હતા આ બધા વચ્ચે બહેરામપુરા માં ટિકિટ ફાળવણી મામલે ઇમરાન ખેડાવાલા નારાજ થઈ ગયા છે અને પક્ષ પ્રમુખ ને મળી ધારાસભ્ય પદે થી રાજીનામુ આપવા તૈયારી કરી હોવાની ચર્ચાઓ વચ્ચે તેઓ ને મનાવવા માટે તાત્કાલિક ગુપ્ત સ્થળે મિટિંગ ચાલી રહી હોવાનું કહેવાય છે.
Saturday, May 18