અમદાવાદ ના ઘુમા સ્થિત કબીર મંદિર આશ્રમના મહંત કૃપાલશરણ ગોસ્વામી અપહરણ પ્રકરણમાં 7 આરોપીઓ ની બોપલ પોલીસે ધરપકડ કરી છે. આ ચકચારી પ્રકરણમાં કૃપાલશરણની જુદા જુદા સર્વે નંબરોવાળી રૂ. 900 કરોડની જમીન હડપ કરવાના ઇરાદે તેઓનું અપહરણ કર્યાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.
આરોપીઓ મહંત કૃપાલશરણ ગોસ્વામીને કાર માં ઉઠાવી ગયા હતા અને રાચરડા સહિતના વિસ્તારોમાં લઈ ફર્યા હતા. તે સમયે રસ્તામાં વેરાન જગ્યા પાસે કાર ઉભી રાખી હતી. ત્યાં બીજી કારમાં કેટલાક શખ્સો આવ્યા હતા. તમામ લોકોએ મહંતના ફોટો પાડી દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે પકડેલા આરોપીઓ માં
જ્યંતી નારણ ગોહીલ (રહે, ખારા કુવા, ધોળકા),રઘુવીરસિંહ પ્રતાપસિંહ જાડેજા (રહે બાલાજી ગોલ્ડ, સરકારી ટ્યુબવેલ પાસે, બોપલ),જીગ્નેશ ઉર્ફ જીગો ચંદ્રકાન્ત શાહ (રહે, પંચામૃત અર્થ બંગલો, સાયન્સ સીટી, સોલા)
અરવિંદભાઈ મફતભાઈ પટેલ ( રહે, દેવદર્શન બંગલો, બોપલ),ઈશાન નરેશ પટેલ (રહે, શિવજી મંદિર પાછળ,ધોળકા)રૂડા ઉર્ફે રુદ્ર ખોડા ભરવાડ ( રહે, પીપળજ, નેસદ સીમ)
મનોજ રૂખડ ભરવાડ( રહે,ન્યૂજીવન,ભરવાડવાસ, કુબેરનગર) નો સમાવેશ થાય છે.
અપહરણમાં સંડોવાયેલા ત્રણ આરોપી ફરાર જાહેર કરવામાં આવ્યા છે જેમાં
નીકુલ કનુભાઈ નાયક રહે,ચિલોડા
દેવેન્દ્ર પુનમચંદ ચોરસીયા રહે ચિલોડા
અજય ભીમરાવ પાટીલ નો સમાવેશ થાય છે. આ ઘટના એ અમદાવાદમાં ભારે ચકચાર જગાવી છે.
Saturday, May 4