અમદાવાદ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં મારુતિ પ્લાઝા પાસે આવેલી અંકુર ઈન્ટરનેશનલ સ્કૂલમાં ભીષણ આગ લાગવાનો બનાવ બનતા ભારે ભાગદોડ મચી ગઇ હતી. ઘટનાને પગલે ફાયરબ્રિગેડની ટીમ 10 ફાયર ફાયટરો સાથે સ્થળ પર પહોંચી ગયા હતા 108 એમ્બ્યુલન્સ પણ સ્થળ ઉપર દોડી હતી. ઘટના સમયે સ્કૂલમાં 3 કલર કામના કારીગરો તથા 4 વિદ્યાર્થીઓ ફસાયા હતા. જોકે ફાયર બ્રિગેડ ની ટીમે તમામનું રેસ્ક્યૂ કરી લેવામાં આવતા સદનસીબે જાનહાની ટળી હતી.
Sunday, May 19