અમદાવાદ શહેરમાં કોરોના નું સંક્રમણ ચિંતાજનક રીતે વધતા 251 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન માં વધારો કરાયો છે. અમદાવાદ ના થલતેજ, ગોતા, જોધપુર, બોડકદેવ, ઘાટલોડિયા સહિતના વિસ્તારોમાં 14 નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન વિસ્તાર ઉમેરાયા છે, જ્યારે જોધપુર, થલતેજ અને ચાંદખેડાના 3 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનને દૂર કરાયા છે ત્યારે 262 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બન્યાં છે,સાથે જ નવા માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આજથી ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાઇ છે. સર્વે દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ ની કામગીરી માં ઝડપ લાવશે.
જોધપુરના સેટેલાઈટના અગ્રવાલ ટાવરના 4 મકાનોના 14 લોકો અને અશ્વારી ટાવરના 4 મકાનોના 15 લોકો, મણિનગરની અબૃદા સોસાયટીના 39 મકાનોના 134 લોકો, નટકમલ કોમ્પ્લેક્સ પ્રકાશનગરના 12 મકાનોના 48 લોકો અને હીરામોતી માર્કેટ સામેના મંદિર કોમ્પ્લેક્સના 16 મકાનોના 36 લોકો, વટવાની જનકપુરી સોસાયટીના 12 મકાનોના 48 લોકો, પાલડીના અમરદીપ એપાર્ટમેન્ટના 3 મકાનોના 11 લોકો, નિકોલની પંચમૂર્તિ રેસિડેન્સીના 4 મકાનોના 19 લોકો, ઘાટલોડિયાના અર્જૂન ટાવરના 24 મકાનોના 90 લોકો, થલતેજની જીવનદીપ સોસાયટીના 5 મકાનોના 20 લોકો, ગોતાના પોપ્યુલર પેરેડાઈસના 16 મકાનોના 60 લોકો અને માલાબાર કાઉન્ટી-2ના 16 મકાનોના 60 લોકો તથા બોડકદેવના સેન્ચુરી ટાવરના 16 મકાનોના 65 લોકોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં રખાયા હોવાનું સૂત્રો એ જણાવ્યુ છે.
Sunday, May 19