અમદાવાદ માં કાંકરિયા પ્રાણી સંગ્રહાલય માં પક્ષીઓ ને બર્ડ ફલૂ થી બચાવવા દવા નો છંટકાવ કરવા સાથે મુલાકાતીઓને નજીક જવા નહિ દેવા સૂચના અપાઇ છે.હાલ રાજ્ય માં બર્ડ ફ્લૂ અને કાતિલ ઠંડી ને કારણે સેંકડો પક્ષીઓ ના મોત થઈ રહયા છે ત્યારે તકેદારી ના ભાગરૂપે કાંકરિયા પ્રાણી સંગ્રહાલયના તમામ પક્ષીઓનાં પાંજરા તરફ જવાના મુખ્ય રસ્તા બંધ કરી દેવાયા છે અને મુલાકાતીઓ પક્ષીઓના પાંજરાની નજીક જવા દેવામાં આવતા નથી બીજી તરફ મુલાકાતીઓને સ્પંચ પર પગ મૂકીને આગળ જવા દેવાય છે જેથી તેમના પગ પણ સેનિટાઇઝ થઇ જાય. આ સિવાય પક્ષીઓના પાંજરાની આગળ દિવસમાં બે વખત દવાનો છંટકાવ કરાય છે. ખાસ તકેદારીથી પક્ષીઓને બર્ડ ફ્લૂથી બચાવવામાં આવી રહ્યાં છે. આમ કાંકરિયા સહિત રાજ્ય ના અન્ય પ્રાણી સંગ્રહાલય માં તકેદારી ના પગલાં ભરવામાં આવી રહ્યા છે.
Sunday, May 19