અમદાવાદ ના કૃષ્ણનગર ચાર રસ્તા પાસે આવેલી જ્યોતિ ગોલ્ડ પેલેસ નામની જવેલર્સ ની દુકાન માં આઠથી દસ લોકો લાકડી દંડા સાથે ઘુસી ગયા હતા અને ભારે તોડફોડ કરીઆતંક મચાવ્યો હતો,જ્વેલર્સ ની આ દુકાનમાં ભારે નુકસાન પહોંચાડ્યું હતું અને ત્રણ કર્મચારીઓને માર પણ માર્યો હતો. દુકાનદારના જણાવ્યા મુજબ થોડા દિવસ અગાઉ કૃષ્ણનગર વિસ્તારમાં એક હત્યાનો બનાવ બન્યો હતો. જેની અદાવત રાખીને આ ગેંગ તે વિસ્તારમાં6 રહેતા ધ્રુવ નામના યુવકને મારવા માટે જવેલર્સમાં ઘૂસ્યા હતા, ધ્રુવ છેલ્લા ત્રણ વર્ષથી આ જ્વેલર્સમાં નોકરી કરે છે.
ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જ્વેલર્સમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ હતી. પોલીસે સીસીટીવીના આધારે આરોપીઓની ઓળખ સહિતની કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ ઘટના એ ભારે ચકચાર જગાવી છે.
Sunday, May 19