અમદાવાદ શહેરમાં નાની બાળકીઓ હવે સલામત રહી નથી અને છેડતી તેમજ બળાત્કાર ની ઘટનાઓ માં ફરી વધારો થયો છે.
અમદાવાદ ના અમરાઇવાડી વિસ્તારમાં શાકભાજીની લારી ચલાવતો નાનો વેપારી પોતાની પત્ની અને પુત્ર ને લઈ ને હોલસેલ માં ડુંગળી અને બટાટા લેવા બજાર માં ગયા હતા અને તે સમયે પોતાની બે પુત્રીઓ એક 15 અને 5 વર્ષની બે નાની દીકરીઓ ઘરે એકલી હતી ત્યારે વસ્ત્રાલ ખાતે રહેતો અને અમરાઇવાડી ન્યુ કોટન મિલ ખાતે કામ કરતો નીરજ વર્મા નામનો ગ્રાહક યુવક તેમના ઘરે આવતા બંને પુત્રીઓ ને એકલી જોતા તેની વાસના ભડકી ઉઠી હતી જેથી વાસના ને અંજામ આપવા તેણે નાની પાંચ વર્ષ ની છોકરીને 10 રૂપિયા આપી વેફરનું પડીકું લેવા બહાર મોકલી દીધી હતી.
બાદમાં 15 વર્ષ ની બાળા નો હાથ પકડી તેના ગાલ પર કિસ કરી હતી બાદમાં શરીરે અડપલાં કરવા લાગ્યો હતો. સગીરાએ ધક્કો મારવા છતાં બળજબરીપૂર્વક સગીરાના કપડાં કાઢી અને તેની સાથે બેરહેમીથી બળાત્કાર ગુજારી આ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ત્યાંથી ભાગી છૂટ્યો હતો. બાદ માં બાળકીના માતા-પિતા ઘરે આવતા તેણે વાત કરતા તેઓ ચોંકી ઉઠ્યા હતા આ ઈસમ તેઓ ના ઘરે દુકાન માં અવારનવાર ડુંગળી-બટેટા લેવા આવતો હોવાથી નિયમિત ગ્રાહક હોય તેણે મોકા નો ફાયદો ઉઠાવતા આ અંગે પોલીસને જાણ કરતા અમરાઇવાડી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધી નિરજની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા.
Sunday, May 5
અમદાવાદ માં ડુંગળી-બટાટા નો વેપારી બજાર માં ગયો અને ઘરે આવેલા ગ્રાહકે વેપારી ની 15 વર્ષ ની બાળા ની ઈજ્જત લૂંટી જતો રહ્યો !બળાત્કાર ની ઘટનાઓ વધી
By mohammed shaikhUpdated: