અમદાવાદમાં મનપા દ્વારા કોરોના વકરવાની સંભાવના વ્યક્ત કરી જીમ બંધ કરાવી દેતા જિમ ચલાવતા વેપારીઓ માં રોષ ફેલાયો હતો સંચાલકો નું કહેવું છે કે પોલીસ કમિશનરના જાહેરનામા અને કેન્દ્રની ગાઈડલાઈન મુજબ જિમ ખોલ્યાં હતાં. મ્યુનિસિપલ કમિશનરના 17 માર્ચના પરિપત્ર મુજબ જિમ, ગાર્ડન વગેરે આગામી નિર્ણય ન લેવાય ત્યાં સુધી બંધ જ રહેશે તેમ જણાવ્યું છે. જેથી આજે 50 જેટલા જિમ સંચાલકોએ દાણાપીઠ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ ખાતે બેનરો સાથે વિરોધ કરી અને કોરોનાની ગાઈડલાઈન સાથે જિમ શરૂ કરવા રજુઆત કરી હતી. કોર્પોરેશન ઓફિસના પ્રાંગણમાં જિમ સંચાલકોએ “અમારી ભૂલ કમળનું ફુલ”ના નારા લગાવ્યા હતા. બેનરો પર અમે બેરોજગાર છીએ અને રોડ પર છીએ, અમે દારૂ કે ડ્રગ્સ નથી વેચતાં અમે સમાજમાં ઇમ્યુનીટી વધારીએ છીએ.આવી રીતે તેઓએ બેનરો સાથે રજૂઆત કરી હતી.
આમ અમદાવાદમાં જિમ બંધ કરાતા જિમ વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ ધરણા યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
Sunday, May 19