કોરોના ની હાડમારી વચ્ચે હોટસ્પોટ બનેલા અમદાવાદમાં ચાલુ વર્ષે ભગવાન જગન્નાથની ઐતહાસિક રથયાત્રા સોશિયલ ડિસ્ટન્સિંગન ના નિયમો પાળીને કાઢવામાં આવનાર છે. અને માત્ર 6-7 કલાકમાં આટોપી લેવાનું આયોજન કરવામાં આવ્યુ છે. યાત્રા બપોરે બે વાગ્યા સુધીમાં નિજ મંદિરે પરત ફરશે. યાત્રામાં રથ પણ 15 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધારવામાં આવશે. માત્ર 25થી 35 વર્ષના યુવાન ખલાસીઓ જ રથ ખેંચશે, રથ ઉપર 40 ખલાસીઓ ચાર ફૂટનું અંતર રાખીને ખેંચશે. સાથે સાથે મંદિર 7:00 મંદિરથી ઉપડ્યા બાદ માત્ર 30 મિનિટ જ મામાના ઘરે રોકાણ કરશે.
દર વર્ષે રથ ખેંચવા માટે 400થી વધુ ખલાસીઓ સામાન્યરીતે જોડાતા હોય છે પરંતુ આ વર્ષે કોરોના ના સંક્રમણ ના ભયે માત્ર 120 જેટલા યુવા ખલાસી બંધુઓ જ આ રથને ખેંચે હશે. રથ ખેંચનાર ખલાસીઓ નું આ અગાઉ સ્વાસ્થ્ય ચેકિંગ ટેસ્ટ કરવામાં આવશે.
બીજું કે દર વર્ષે 22 કિલોમીટર લાંબી યાત્રાની સ્પીડ આશરે 7 કિલોમીટર પ્રતિકલાકની હોય છે. પરંતુ આ વર્ષે ઓછી વ્યક્તિઓના કારણે તેમજ રથ મંદિરે વહેલા લાવવાના લીધે રથની સ્પીડ 10 થી 15 કિલોમીટર પ્રતિકલાકની રાખવામાં આવશે. જો આટલી સ્પીડે રથ ચાલે તો સવારે 7:00 વાગ્યે રથ પ્રસ્થાન કર્યા બાદ આશરે 2:00 વાગ્યે રથ નિજમંદિરે પરત આવી શકે. ચાલુ વર્ષે રથયાત્રા માત્ર 3 રથ સાથે જ નીકળનાર હોવાથી પોલીસ બંદોબસ્ત 90 ટકા ઘટાડીને માત્ર 10 ટકા જ રાખવામાં આવ્યો છે. દર વર્ષે રથયાત્રા બંદોબસ્તમાં 3000 પોલીસકર્મીઓ જોડાય છે. પરંતુ ચાલુ વર્ષે માત્ર 3 રથ સાથે 300 થી 500 પોલીસ કર્મચારીઓ જ બંદોબસ્તમાં જોડાશે. બાકીના 22 હજાર જેટલા સુરક્ષા કર્મચારીઓ સંવેદનશીલ વિસ્તારોમાં બંદોબસ્તમાં તહેનાત રહેશે.
ભગવાન જગન્નાથની રથયાત્રા દર વર્ષે દોઢથી બે કિલોમીટર લાંબી નીકળે છે. જેમાં 3 રથ, 18 હાથી, 30 ભજન મંડળી, 30 અખાડા, 101 ટ્રકો જોડાય છે. પરંતુ ચાલુ વર્ષે કોરોના ને લઈ 3 રથ નીકળનાર હોવાનું સૂત્રો એ જણાવ્યું હતું. અષાઢી બીજ ના દીને નિકળનાર ભગવાન જગનાથજી ની રથયાત્રા ચાલુ વર્ષે કોરોના ને લઈ અલગ રીતે નીકળશે
Sunday, May 19