ગુજરાત માં સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણીઓ નું બ્યુગલ ફૂંકાયું છે ત્યારે રાજ્ય ના મોટા શહેરો માં ભાજપે પોતાનું શક્તિ પ્રદર્શન શરૂ કર્યું છે. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં પક્ષ પ્રમુખ પાટીલની ઉપસ્થિતી માં બે સંમેલનો યોજાયાં હતા આ સંમેલનમાં ભાજપે શક્તિ પ્રદર્શન બતાવી આ વિસ્તારમાં પોતાની હાજરી નોંધાવી હતી.
આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મંચ પરથી જણાવ્યું કે, ગુજરાતે કોરોના પર વિજય મેળવી લીધો છે જ્યારે પાટીલે કહ્યું કે, ચૂંટણી પહેલાં જ વિજય સરઘસ નીકળી ગયું છે અને આ જ કાર્યકરોનો આત્મવિશ્વાસ બતાવે છે અને આવાં કાર્યકરોના કારણે જ પ્રમુખ ને નવી શક્તિઓ નો સંચાર થાય છે જીત હંમેશા તેઓ ની જ થાય છે.
આમ અમદાવાદ માં કોરોના થાળે પડતાંજ હવે ઇલેક્શન આવ્યું છે ત્યારે નેતાજીઓ કોરોના ની ગાઇડલાઈન પાળે તેવી લોકો માં માંગ ઉઠવા પામી છે.
Saturday, May 18