અમદાવાદમાં કોરોના ની સ્થિતિ સૌથી વધુ ખરાબ છે અને અહીં મૃત્યુનો આંક 1 હજારને વટાવી 1015એ પહોંચી ચુક્યો છે. અમદાવાદ માં કોરોના થી એક દર્દી નું પ્રથમ મોત તા.25 માર્ચે થયા બાદ માત્ર 75 દિવસમાં એક હજારથી વધુ દર્દીઓ ના મોત થયા છે. તાજા અહેવાલો માં છેલ્લા 24 કલાકમાં જ વધુ 21 લોકોના મોત થતા હાહાકાર મચ્યો છે, ગતરોજ 318 નવા કેસ નોંધાયા હતા. શહેરમાં 15 એપ્રિલથી એક પણ દિવસ એવો નથી ગયો કે કોરોનાથી મૃત્યુ ન થયું હોય.
અગાઉ કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર થયેલા મધ્ય ઝોનના જમાલપુર, ખાડિયા, દરિયાપુર, દક્ષિણ ઝોનના દાણીલીમડા, બહેરામપુરા, ઉત્તર ઝોનના સરસપુર, પૂર્વ ઝોનના ગોમતીપુરમાં 500થી વધુ મૃત્યુ નોંધાયા છે. પશ્ચિમના વિસ્તારમાં આવેલા વોર્ડમાં પણ મૃત્યુઆંક બેકી સંખ્યામાં પહોંચ્યો છે.
પૂર્વ અમદાવાદમાં શનિવારે એક દિવસમાં 194 જેટલા કેસો નોંધાયા છે. જેમાં મોટી ઉંમરના દર્દીઓ તેમજ પુરુષોની સંખ્યા વિશેષ હતી. તેમજ આ આંકડામાં 35 ટકા જેટલા મહિલા દર્દીઓ અને 65 ટકા જેટલા પુરુષ દર્દીઓનો સમાવેશ થાાય છે.
શહેરમાં પૂર્વ ઝોનમાં અમરાઇવાડી 13, બાપુનગર અને નિકોલમાં 12 – 12 કેસ નોંધાયા હતા. મણિનગરમાં નરોડા અને નવા વાડજમાં પણ 11 – 11 કેસ નોંધાયા છે. શાહીબાગ, ઇન્ડિયા કોલોની અને સૈજપુર બોઘામાં 10 -10 કેસ નોંધાયા હતા. અસારવા વિસ્તારમાં 17 કેસ નોંધાયા છે.આમ ગુજરાત માં સૌથી વધુ ખરાબ સ્થિતિ અમદાવાદ ની છે જ્યાં સ્મશાન માં પણ મોટી સંખ્યા માં અગ્નિદાહ માટે શબ આવી રહ્યા છે જે કોઈ હોસ્પિટલમાં નોંધાયા કરતા પણ મૃત્યુઆંક મોટો હોવાનું કહેવાય છે આમ કોરોના ની સ્થિતિ માં મોટી સંખ્યા માં લોકો મોત ને ભેટયા હોવાનું માનવામાં આવી રહ્યું છે.
Saturday, May 18