અમદાવાદ માં એક આશાસ્પદ વિદ્યાર્થીની એ સુસાઇડ કરી લેતા ચકચાર ફેલાઈ ગઈ છે ,ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ (IIM)માં PGPMમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી મૂળ બિહારની યુવતીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાનું જાણવા મળ્યું છે. યુવતી હોસ્ટેલમાં રૂમમાં એકલી હતી ત્યારે અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતાં સેટેલાઇટ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે
સુસાઇડ કરનાર યુવતી ની ઓળખ બિહારના મુઝફ્ફરનગરની યુવતી દ્રષ્ટિ રાજકાનાની(ઉ.વ.25) હોવાની થઈ છે યુવતી ઓનલાઇન એજ્યુકેશન ચાલતું હોવાથી હોસ્ટેલમાં જ રહી અભ્યાસ કરતી હતી. હાલમાં કોઈ સ્યુસાઇડ નોટ મળી નથી. યુવતીએ શામાટે આવું પગલું ભર્યું તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
Sunday, May 19