મુંબઈ માં ચર્ચા જગાવનાર અંબાણી ના ઘર ની બહાર મુકાયેલી વિસ્ફોટક પદાર્થ ભરેલી સ્કોર્પિયો કાર માલિક મનસુખ હિરેન હત્યા કેસ માં પોલીસ ઓફીસર સચિન વઝે ની ટીમ ની સંડોવણી ખુલ્યા બાદ તેના તાર છેક ગુજરાત સુધી પહોંચ્યા છે અને કેટલાક સીમ કાર્ડ નું કનેક્શન ગુજરાત નું ખુલતા મનસુખ હિરેન હત્યા કેસ ની તપાસ માટે એટીએસની ટીમે અમદાવાદના વટવા જીઆઈડીસીમાંથી ફેક્ટરી ધરાવતા એક શખ્સની ધરપકડ કરી છે. આ શખ્સે મનસુખ હત્યાના આરોપી બુકી નરેશ ગૌરને ચાર સિમકાર્ડ પુરા પાડ્યાં હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. એટીએસ દ્વારા ધરપકડ કરાયેલો આરોપી શખ્સ વટવા જીઆઈડીસીમાં ગાયત્રી ટેડર્સનો માલિક છે અને તે બોડકદેવો રહેવાશી હોવાનું તપાસમાં ખુલ્લું છે. ફેક્ટરી માલિક અને બુકી નરેશ ગૌર વચ્ચેના કનેક્શન સામે આવ્યા છે. મુંબઈ એટીએસના એક અધિકારીએ જણાવ્યું કે સિમ કાર્ડના પગેરુની તપાસ કરવા એટીએસની ટીમ આવી હતી અને ત્યાંથી ફેક્ટરી માલિકની ધરપડ કરી હતી.
Wednesday, May 29