રાજયના વાહન વ્યવહાર અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ભાજપના નેતાઓએ નવી નક્કોર બસમાં મુસાફરી માણી હતી.
આ તકે હર્ષ સંઘવીએ જણાવ્યું કે રાજ્યના છેવાડાના માનવી સુધી સરકારની સેવા પહોંચે તેના માટે છેલ્લા 150 દિવસમાં 900 જેટલી નવી બસો ફાળવવામાં આવી છે અને હજુ 2000 જેટલી બસો મૂકવામાં આવશે.
મહત્વનું છે કે આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા 321 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આજે સાબરમતી વિસત પેટ્રોલ પંપ પાસે આવેલા પ્લોટમાં ગુજરાત રાજ્ય એસટી નિગમની 321 નવી બસોનું લીલી ઝંડી બતાવી લોકાર્પણ કરાયા બાદ રાજ્યના વાહન વ્યવહાર અને રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ ભાજપના તમામ ધારાસભ્યો, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના શહેર સંગઠનના ભાજપના નેતાઓએ નવી એસ.ટી. બસમાં મુસાફરી કરી હતી. હર્ષ સંઘવી અને ભાજપના નેતાઓ એસ.ટી બસમાં બેસી સુભાષબ્રિજ સુધી ગયા હતા અને બસમાં બેસી મૂહર્ત કર્યું હતું.
મંત્રી હર્ષ સંઘવીએ આવનારા દિવસોમાં પણ એસ.ટી. વિભાગ દ્વારા વધુ સારી સુવિધાઓ આપવાનો પ્રયાસ કરવામાં આવશે તેમ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું