ગુજરાત માં સ્થાનિક સ્વરાજય અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ- કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી સાથે અસદુદ્દીન ઓવૈસીની AIMIM પાર્ટી અને છોટુ વસાવાની બીટીપીએ ગુજરાતમાં ગઠબંધન સાથે ચૂંટણીમાં ઝંપલાવ્યું છે ત્યારે જે રીતે ભરૂચ અને અમદાવાદ માં મુસ્લિમો ઉમટી પડ્યા તે જોતા કોંગ્રેસ ના બધા મતો હવે ઓવૈસી ને મળે તેવો માહોલ ક્રિએટ થયો છે.
અમદાવાદ માં સભા અગાઉ મુસલમાનો એ પડેલી નમાઝ અને અજાન વખતે થોડીવાર માટે ભાષણ બંધ કરવું તેમજ ચાલુ સભા માં લાગેલા અલ્લાહ હો અકબર ના નારાઓ સાથે મુસલમાનો ને જાણે પોતાના સમાજ નો એક રાષ્ટ્રીય કક્ષાનો મજબૂત નેતા મળ્યો હોવાનો અહેસાસ જોવા મળ્યો હતો. સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર પર સભા સંબોધતી વખતે ઓવૈસીએ મોદી ને ઉદ્દેશી ને કહ્યું કે, 56 ઇંચની છાતી હોય તો ચીનને સબક શિખવાડ્યું હોત. 1000 સ્કવેર મીટર પર ચીન કબ્જો જમાવી બેઠું છે, ત્યારે કેમ મોદી બોલતા નથી. મોદીને સવાલ કર્યો કે 2020માં ચીને કેમ ઘુસ્યું? કેમ કે દેશમાં નફરત ફેલાઈ રહી છે અને તેનો ફાયદો ઉઠાવવા આવ્યો છે.
અસદ્દુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, ગુજરાતમાં અમે આવ્યા છીએ. અમે લોકોના દિલમાં પ્રેમ ઉભો કરવા આવ્યા છીએ. ગુજરાતમાં AIMIM આવ્યું છે ત્યારે આ માત્ર એક જ ચૂંટણી માટે નથી. દરેક ચુંટણીમાં અમે હોઈશું. હું ગુજરાત એટલા માટે આવ્યો છું કે હું આંખ બંધ કરું એ પહેલાં ગુજરાતમાં મારા કરતા વધુ સારો નેતા ઉભો થાય.AIMIMને સપોર્ટ કરો. તમે અત્યાર સુધી અન્ય પાર્ટીઓને વોટ આપતા હતા તેઓ એ વર્ષો સુધી શું આપ્યું ? તમે બધા એક થાવ
ઓવૈસી ની સભામાં અલ્લાહ હુ અકબરના નારા થી વાતાવરણ ગાજી ઉઠ્યું હતું.
મહારાષ્ટ્રના નેતા ઈમ્તિયાઝ ઝલીલ ભાષણ આપતાં હતા તે દરમ્યાન અઝાન શરૂ થતાં વચ્ચે ભાષણ રોકી દેવાયું હતું. ત્રણ મિનિટ માટે ભાષણ અટકાવી બાદમાં શરૂ કરવામાં આવ્યું હતું.
ઓવૈસીની પાર્ટીએ જમાલપુર, ખાડીયા, દરિયાપુર, ગોમતીપુર, બહેરામપુરા અને મકતમપુરા વોર્ડથી પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જમાલપુર બેઠકથી પૂર્વ કોર્પોરેટરો મોહંમદ રફીક શેખ અને મુસ્તાક ખાદીવાલાને ટિકિટ આપવામાં આવી છે, જ્યારે ગોમતીપુરના પૂર્વ કોર્પોરેટર આફરીન બાનુ પઠાણને પણ ટિકિટ આપવામાં આવી છે. આ સિવાય ગોમતીપુર વોર્ડથી સૂફિયાન રાજપૂત અને ખાડીયાથી એડવોકેટ ઈમ્તિયાઝ પઠાણને પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવી છે. AIMIM પાર્ટીએ જમાલપુર વોર્ડમાંથી બીનાબહેન પરમાર અને બહેરામપુરા વોર્ડથી પારુલ મકવાણાને ટિકિટ આપી છે.
Saturday, May 18