રાજ્ય માં કોરોના નું સંક્રમણ વધ્યું છે અને તેની અસરો દરેક ધંધા ઉપર જોવા મળી રહી છે,અમદાવાદ એરપોર્ટ પર RT-PCR ટેસ્ટ ફરજિયાત કરી દેવાતા મુસાફરોની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. છેલ્લા ચાર દિવસમાં ડોમેસ્ટિક સેક્ટરમાં 35 ટકાથી વધુ ફલાઈટો રદ કરવી પડી છે. જ્યારે અન્ય ફ્લાઈટો માં પણ મુસાફરો નો ગ્રાફ 40થી 45 ટકા નીચે આવી ગયો છે.
અમદાવાદ એરપોર્ટ પર ડોમેસ્ટિક સેક્ટરમાં પ્રતિદિન 180 જેટલી ફ્લાઇટોની મૂવમેન્ટ વચ્ચે 18 હજારથી વધુ મુસાફરોની અવર જવર થાય છે. ત્યારે કોરોના ના હાઉ થી છેલ્લા ચાર દિવસમાં આ પ્રવાસીઓમાં ખાસ્સો ઘટાડો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ જે ફ્લાઈટો રદ થઈ રહી છે તેમાં સૌથી વધુ ગો એરની ફ્લાઇટનો સમાવેશ થાય છે. બુધવારે પણ ગો એરની થઈ તે એક જ દિવસમાં આઠ ફ્લાઇટો મળી કુલ 11 ફ્લાઇટો રદ થઇ હતી. આમ છેલ્લા ચાર દિવસમાં અમદાવાદ એરપોર્ટ પર 100થી વધુ ફ્લાઇટો કેન્સલ થઈ હોવાનું સૂત્રો એ જણાવ્યું હતુ.
જે નવ ફ્લાઇટોમાં મુંબઈ, દિલ્હી, વારાણસી, જયપુર, કોચી, ચેન્નાઇ તેમજ ઇન્ડિગો રાયપુર, સ્પાઇસ જેટ ની દરભંગા, દિલ્હીની ફ્લાઈટ રદ થઇ છે. છત્તીસગઢમાં લોકડાઉન આવતા અમદાવાદથી રાયપુરની ફ્લાઈટ અનિશ્ચિત મુદત માટે બંધ કરવામાં આવી છે.
છેલ્લા ચાર દિવસમાં 100 ફ્લાઈટો રદ થતા કોરોના નો કેટલો પ્રભાવ છે તે જોઇ શકાય છે.
Monday, May 20