કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે બપોરે 1 વાગ્યે ગુજરાત રાજ્ય એસટી નિગમની 321 નવીન બસોનું લીલી ઝંડી બતાવી લોકાર્પણ કર્યુ હતું.
સાબરમતી વિસત પેટ્રોલ પંપ પાસે આવેલા પ્લોટમાં લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
લોકાર્પણ થયેલી 321 બસોમાં મીડી બસો, લક્ઝરી કોચ, સ્લીપર બસોનો સમાવેશ થાય છે આ તમામ બસો સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર, મધ્ય અનવ દક્ષિણ ગુજરાત સહિતના ડિવિઝનોમાં ફાળવણી કરવામાં આવી છે.
કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે લક્ઝરી કોચ અને બીડી બંને બસોની અંદર કેવી મુસાફરોને સુવિધા આપવામાં આવે છે અને બેસવાની યોગ્ય વ્યવસ્થા કેવી છે વગેરેનું નિરીક્ષણ કરી વિસ્તૃત માહિતી મેળવી હતી.
મહત્વનું છે કે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બે દિવસની ગુજરાત મુલાકાતે છે જેઓ અનેકવિધ કાર્યક્રમોમાં હાજર રહેનાર છે.