રાજયમાં પ્રદુષણે માઝા મૂકી છે અને સુરતની વાત કરવામાં આવેતો તમારે જીવનજયોત ખાડીની મુલાકાત લેવી પડે અને તે દ્રશ્યો જોઈ અંદાજ આવી જાય કે શું અહીં ટ્રીટ થયેલું પાણી છોડવામાં આવે છે ખરું? સત્યડે અખબાર અને સોશ્યલ મીડિયાની ટીમે જે અહીં તપાસ કરીતો ખબર પડીકે આતો આખો મામલોજ ગેરકાયદે છે અને ટ્રીટ કર્યા વગરનું પાણી લાઈન મારફતે છોડાઈ રહ્યું છે.
પાંડેસરાના કેટલાક એકમો કેમીક્લયુક્ત અને ટ્રીટ કર્યા વિનાનું પ્રદુષિત પાણી સીધે સીધું ખાડીમાં છોડી પર્યાવરણનું સત્યાનાશ વાળી રહયા છે પણ કોઈ પગલાં ભરવામાં આવતા નથી તે વાસ્તવિકતા સામે આવી છે.
જીવનજ્યોત ખાડી ભયંકર રીતે પ્રદુષિત થઈ રહી છે પરિણામે એગ્રીકલ્ચર અને પશુપાલન ક્ષેત્રે નુકશાન થઈ રહ્યું છે
એક અંદાજ મુજબ પાંડેસરા જીઆઈડીસીમાં 100થી વધુ ડાઈંગ મીલ તેમજ 45 જેટલા કેમિકલ યુનિટ આવેલા છે ત્યારે ખાડીને પ્રદુષિત કરનારા તત્વો આટલા બેફિકર કેમ? કોણે પરમિશન આપી?
સત્યડેની ટીમે સ્થળ ઉપર જઈ રીયાલીટી ચેક કર્યુતો ખાડીમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું હતુ અને માથું ફાટી જાય તેવી દુર્ગંધ આવતી હતી
સુરતમાં પાંડેસરાના કેટલાક એકમો કેમીક્લયુક્ત પાણી ટ્રીટ કર્યા વિનાજ સીધે સીધું ખાડીમાં છોડી પર્યાવરણનું સત્યાનાશ વાળી રહયા છે પાંડેસરાના સીઈટીપી પ્લાન્ટમાંથી ડાયરેક્ટ
ટ્રીટ કર્યા વિનાનું પાણી ખાડીમાં છોડવામાં આવી રહ્યું હોવા અંગે અગાઉ પણ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ તેમજ સ્થાનિક વિભાગમાં રજૂઆતો છતાં આ સીલસીલો આજની તારીખે પણ ચાલુ રહ્યો છે.
સત્યડેની ટીમે જયારે સ્થળ ઉપર જઈ રીયાલીટી ચેક કર્યું તો માથું ફાટી જાય તેવી દુર્ગંધ વચ્ચે સમગ્ર કવરેજ કર્યું ત્યારે વાસ્તવિકતા પહેલાની જેમજ યથાવત જોવા મળી મતલબ સાફ છે કે સીઈટીપી પ્લાન્ટના કેમીકલ યુનિટના જવાબદાર ઈસમો આ પ્રદૂષણ
ફેલાવી રહ્યાં છે અહીં જે દ્રશ્યો જોવા મળ્યા તે જોતા સરકારીતંત્ર કે જીપીસીબી કુંભકર્ણ નિંદ્રામાં પોઢી રહ્યાનું જણાય રહ્યું છે અથવાતો આ મામલે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોવાનું સપાટી ઉપર આવી રહ્યું છે.
પાંડેસરાના સીઈટીપી પ્લાન્ટના થોડા અંતરે પસાર થતી જીવનજ્યોત ખાડીમાં
સીઈટીપી પ્લાન્ટમાંથી ચોક્કસ ટ્રીટ કરેલું પાણી તેમજ
પાંડેસરા જીઆઈડીસી સ્થિત ચોક્કસ
એકમો કેમીકલયુક્ત પાણી ખાડીમાં છોડી રહ્યાં હોય
જીવનજ્યોત ખાડી ભયંકર પ્રદુષિત થઈ રહી છે પરિણામે ખેતીને નુકશાન થતાં ખેડૂતો અને પશુપાલકો ભારે ચિંતા અને ઉચાટ વચ્ચે જીવી રહયા છે પણ તેઓનું સાંભળવા વાળું કોઈજ નથી.
એક અંદાજ મુજબ અહીં 100થી વધુ ડાઈંગ મીલ તેમજ 45 જેટલા કેમિકલ યુનિટ આવેલા છે ત્યારે આ વાત તપાસનો વિષય છે કે પ્રદૂષણ ફેલાવવાનું લાયસન્સ કોણે આપ્યું ?
જાહેરમાં પ્રદુષણ ફેલાવી રહેલા તત્વો સામે જવાબદાર વિભાગ ઘૂંટણીયે પડી ગયો હોવાનું જણાય રહ્યું છે.
પ્રદુષણ ફેલાવીને છાકટા બનેલા ચોક્કસ તત્વો સામે કોણ પગલાં ભરશે તેતો સમયજ બતાવશે ત્યારે આ પ્રદૂષણના મામલામાં સત્યડે જવાબદાર ઈસમોને ખુલ્લા પાડશે.