ઇસ્કોન બ્રિજ અકસ્માતની ઘટનામાં નવ લોકોની જિંદગી છીનવી લેનારા તથ્ય પટેલે 15 દિવસ અગાઉ સિંધુભવન રોડ ઉપર થાર ગાડી વડે અકસ્માત સર્જો હોવાની વાત સામે આવી છે.
જેમાં સિંધુભવન રોડ ઉપર આવેલા રેસ્ટોરાંની દિવાલમાં તથ્ય પટેલે થાર ગાડી ઘૂસાડી દીધી હતી
ઇસ્કોન બ્રિજ ઉપર 0093 નંબરની જેગુઆર વડે અકસ્માત કરીને 9 લોકોને કચડી નાખ્યા હતા.
આજ તથ્ય પટેલે 15 દિવસ પહેલાં જ 0093 નંબરની થાર ગાડી વડે અકસ્માત સર્જી એક રેસ્ટોરન્ટની દીવાલ તોડી નાખી હોવાનું ખુલ્યું છે.
દીવાલ તૂટી જતા હાલ અહીં નવી દીવાલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે.
જોકે આ અકસ્માત બાદ રેસ્ટોરન્ટ વાળા સાથે સમાધાન થઈ ગયું હતું.
આમ,0093 નંબરની ગાડી વાપરવાનો શોખ ધરાવતા તથ્ય પટેલે નવ લોકોની જિંદગી છિન્ન ભિન્ન કરી દીધી છે.