ભગવાન જગન્નાથજીની સાક્ષીએ અમદાવાદીઓ માં કોમી એકતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.લોહીનું એક એક બુંદ જિંદગી માટે ખુબજ અનિવાર્ય છે ત્યારે રક્તદાન કરી હિન્દૂ-મુસ્લિમ કોમના દાતાઓ માનવતા મહેકાવશે, સત્યડે ઉપર આ કેમ્પનું લાઈવ પ્રસારણ કરવામાં આવનાર છે.
અમદાવાદમાં અષાઢી બીજના રોજ નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા અગાઉ શહેરમાં કોમી એખલાસનો માહોલ જોવા મળે છે અને મુસ્લિમ સમુદાય દ્વારા સ્વાગત પણ કરવામાં આવે છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ તથા રેડ ક્રોસ સોસાયટી અને હિન્દૂ -મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા સામાજિક એકતા અને સદભાવના માટે આજે સવારે 9.00 કલાકે જમાલપુર દરવાજા સ્થિત શ્રી જગન્નાથજી મંદિર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ રક્તદાન કેમ્પમાં હિન્દૂ ,મુસલમાન સહિત દરેક ધર્મના લોકો રક્તદાન કરી માનવતા મહેકાવશે