રાજ્યમાં કોરોનાના કેસોમાં વધારો જણાયો છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાના 34 નવા કેસ ઉમેરાયા છે અને 26 દર્દી સાજા પણ થયા છે. જોકે, સતત 23મા દિવસે રાજ્યમાં મૃત્યુ આંક શૂન્ય રહ્યો છે.
રાજ્યમાં નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદ શહેરમાં 25 નવા કેસ, વડોદરા શહેરમાં 5 કેસ, જ્યારે ગાંધીનગર , રાજકોટ , સુરત અને વલસાડ જિલ્લામાં 1-1 કેસ નોંધાયા છે જે મળી રાજ્યમાં કુલ 34 કેસ નોંધાયા છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 25 હજાર 130ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 944 પર સ્થિર છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 13 હજાર 997 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 216 એક્ટિવ કેસ છે, શૂન્ય દર્દી વેન્ટિલેટર પર છે અને તમામ દર્દીઓની હાલત સ્થિર હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.