કોરોના નો ખૌફ હવે લોકો માં ધીરેધીરે ઓછો થઈ રહ્યો છે કારણકે કોરોના થી બચવા માટે ની ઘણી બાબતો નું લોકો ધ્યાન રાખતા થયા છે કેમકે કોરોના સાથેજ જીવતા શીખવું પડે તેવી સ્થિતિ છે. આ બધા વચ્ચે રેલવે દ્વારા અમદાવાદ થી મુંબઈ ડબલ ડેકર ટ્રેન ચાલુ થતા દિવાળી ના કામો માં તેજી આવશે.
પશ્ચિમ રેલવે દ્વારા 17 ઓક્ટોબરથી અમદાવાદ અને મુંબઈ વચ્ચે ડબલ ડેકર એસી સ્પેશિયલ ટ્રેન રવિવાર સિવાય સપ્તાહમાં છ દિવસ ચલાવવામાં આવશે.
ડીઆરએમ દિપક ઝાએ જણાવ્યું કે, આગામી સૂચના સુધી ડબલ ડેકર દોડાવવામાં આવશે. હાલ 17 ઓક્ટોબરથી આ ટ્રેન અમદાવાદથી સવારે 6:00 વાગ્યે ઉપડી બપોરે 13:00 વાગ્યે મુંબઈ પહોંચશે. જ્યારે પરત ફરતા મુંબઈથી આ ટ્રેન બપોરે 14:20 વાગ્યે ઉપડી રાતે 21:40 વાગ્યે અમદાવાદ પહોંચશે.
મુસાફરી દરમિયાન બંને દિશામાં આ ટ્રેન બોરીવલી, વાપી, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ અને નડિયાદ સ્ટેશનો પર રોકાશે. એસી ચેર કાર કોચ ધરાવતી આ ટ્રેનનું રિઝર્વેશન 15 ઓક્ટોબરથી શરૂ થશે.આમ આ નિર્ણય થી મુસાફરો માં ખુશી ની લાગણી છવાઈ છે.
Sunday, June 2