લોકડાઉનનો ડર અમદાવાદીઓને સતાવી રહ્યો છે, ત્યારે દિલ્લી દરવાજા માધુપુરા માર્કેટ અને કાલુપુર માર્કેટ ખાતે ખરીદી કરવા માટે શહેરીજનો ઉમટ્યો છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ અને વિસ્તારોમાં ખરીદી માટે લોકોના ટોળા ઉમટ્યા છે. સત્ય ડે ન્યૂઝ શહેરીજનોને ખોટો પેનિક ન લેવા અપીલ કરે છે. કોરોના સામે એલર્ટ બનો પણ અધીરા ન બનશો.
જીવન જરૂરિયાતનું વસ્તુ ખરીદવા દોટ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા માધુપુરા અને કાલુપુરના બજારમાં કરિયાણા, તેલ, ચોખા અને શાકભાજીની ખરીદી માટે લોકો મોટી સંખ્યામાં ઉમટ્યાં છે. જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટે લોકોની ભીડ ઉમટી છે. સરકારને માત્ર 3 કે 4 દિવસની વાત છે તેમ લોકો એક મહિનાનું કરીયાણું ભરવા લાગ્યા છે.
ગૃહિણીઓ ટેનશન માં આવી ગઈ છે અને જણાવી રહી છે કે 4 દિવસ નું લોકડાઉન કહી ને 15 દિવસનું કરી દે તો વસ્તુ ક્યાંથી લાવવી.
કરિયાણું લેવા આવેલા લોકોએ જણાવ્યું હતું કે, લોકડાઉન આવશે જે કેટલા દિવસનું હશે તે નક્કી નથી. આજે 4 દિવસ કહે છે પછી 15 દિવસ કરી દેશે તો બીજી વસ્તુઓ લેવાની ક્યાંથી? એટલે બને એટલું અત્યારે લઈ લેવું સારું છે. શહેરમાં જે રીતે ખરીદી શરૂ થઈ છે તેને જોતા રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન અંગે નિર્ણય કરવામાં આવે તે બાદ બજારમાં હજુ પણ ખરીદી માટેની ભીડ વધવાની શક્યતા છે…
રાજ્યમાં કોરોનાની ગંભીર પરિસ્થિતિ થઈ છે અને આજે ગુજરાત હાઇકોર્ટે સરકારને કોરોનાના વધતા કેસને લઈને 3થી 4 દિવસ લોકડાઉન કરવા સરકારને સૂચન કર્યું છે. સરકાર દ્વારા લોકડાઉન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે ત્યારે લોકડાઉનનું નામ સાંભળતા શહેરના બજારોમાં ખરીદી માટે ઉમટી પડ્યા છે.