અમદાવાદઃ અત્યારે આડાસંબંધો રાખવાનો જાણે ટ્રેન્ડ બની ગયો છે. જોકે, લગ્નેત્તર સંબધોના કરુણ અંજામ આવતા હોય છે. અમદાવાદમાં એક પરિણીતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ પોતાના પ્રેમી સામે જ ફરિયાદ નોંધાવી છે. જેમાં પરિણીતાએ પ્રેમી દ્વારા પોતાના દીયરને ધમકી આપી હોવાની વાત જણાવી છે. પ્રેમી વ્યસની હોવાથી પરિણીતાએ સંબંધ પુરા કરી નાંખ્યા છતાં પરિણીતાનો પીછો કરતો હતો અને એક દીવસ દીયરને ધમકી આપી હતી કે, જો સંબંધ નહીં રાખે તો એસિડ ફેંકી બાળકોને ઉપાડી લઈશે. ડરી ગયેલી પરિણીતાએ પોલીસનો સહારો લીધો હતો.
બનાવની વિગતો એવી છે કે નવા વાડજમાં રહેતી 33 વર્ષીય મહિલા તેના પરિવાર સાથે રહે છે. મહિલા એક બિલ્ડીંગમાં સાફ સફાઈનું કામ કરવા જાય છે. મહિલાને સંતાનમાં ત્રણ બાળકો પણ છે. આ મહિલા જે કોમ્પ્લેક્સ માં કામ કરતી હતી ત્યાં અનિલ વાઘેલા નામનો વ્યક્તિ પણ કામ કરવા આવતો હતો. જેથી અનિલ આ મહિલાના સંપર્કમાં આવ્યો હતો. બાદમાં બને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જોકે બાદમાં મહિલાને જાણ થઈ કે તેનો પ્રેમી અનિલ સારો માણસ નથી અને તે નશા કરે છે.
બાદમાં આ જાણ થતાં જ મહિલાએ તેની સાથે સબન્ધ રાખવાનું બંધ કરી દીધું હતું. બે એક માસ પહેલા કામ કરવાની જગ્યાએ મહિલા પડી જતા તે કામ પર હતી ન હતી અને ઘરે રહેતી હતી. છતાંય અનિલ ફોન કરીને સબન્ધ રાખવા દબાણ કરતો હતો પણ મહિલાએ ઘસીને તેને ના પાડી દીધી હતી. મહિલા મંદિર કે શાકભાજી લેવા જાય ત્યાં બાઇક લઈને અનિલ પહોંચી જતો અને સંબંધ રાખવા દબાણ કરતો હતો.
મહિલાએ અનિલને કહ્યું કે તેના પતિને જાણ થઈ ગઈ છે છતાંય અનિલ મહિલાનો હાથ પકડી ધમકી આપી કે તેના ફોનમાં ફોટો છે તે તેના પતિને મોકલી બદનામ કરી દેશે. એસિડ ફેંકી ચહેરો બગાડી છોકરા ઉપાડી જવાની પણ અનિલ એ ધમકી આપી હતી.
થોડા દિવસ પહેલા અનિલએ મહિલાના દીયરને ફોન કરીને કહ્યું કે “તારી ભાભી તો મારી જ છે, હું તેને ઉપાડી જઈશ”. જેથી આ મામલે હવે સાસરિયાઓ ને જાણ થતાં જ મહિલાએ પ્રેમી સામે ફરિયાદ આપતા વાડજ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.