. ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ નાથની નગર ચર્ચા નથી યોજાઈ. જોકે, રથયાત્રાને લઈને તમામ વિધિઓ કરવામાં આવી છે. અમદાવાદના ઈતિહાસમાં પ્રથમ વખત અષાઢી બીજના દિવસે જગતના નાથ નગરચર્ચાએ નીકળ્યા નથી. જોકે જગન્નાથ મંદિરમાં ખલાસીઓ દ્વારા ત્રણેય રથને મંદિર પરિસરમાં ફેરવવામાં આવ્યો.
રાજભોગ દર્શન નાથને રથમાં બિરાજવામાં આવ્યા હતા અને સીએમ રૂપાણીએ પહિંદવિધિ કરી રથ ખેચી રથનુ પ્રસ્થાન કરાવ્યુ હતુ. જો કે બાદમાં મંદિર ટ્રસ્ટે મંદિરની ફરતે રથ ફેરવવાની માંગ કરી. પોલીસ અને મંદિર ટ્રસ્ટીઓ વચ્ચે બેઠક બાદ આખરે મંદિર પરિસરમાં રથની પરિક્રમા થઈ અને બાદમાં ભક્તોને દર્શન માટે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે મંદિરમાં પ્રવેશ અપાયો.