વધુ સ્પીડમાં વાહન ચલાવનારાઓ માટે હવે સારું નથી, કારણ કે નિર્દોષ લોકોના અકસ્માતે મોતના કેસમાં અમદાવાદ આરટીઓએ લાલ આંખ કરી છે. એક જ દિવસમાં 700 ડ્રાઇવરોના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. જ્યારે 150 વાહનચાલકો સામે હજુ પણ તલવાર લટકી રહી છે. જો લાયસન્સ કેન્સલ કર્યા બાદ પણ વાહન ચાલક વાહન ચલાવતો પકડાશે તો તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
વાહન ચલાવવા માટે ડ્રાઇવિંગ લાયસન્સ ફરજિયાત છે. ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે, લર્નિંગ લાયસન્સ અને કન્ફર્મ લાયસન્સ માટે ટેસ્ટ આપવી પડે છે. તે પછી તમને લાઇસન્સ મળે છે. લાયસન્સ મેળવ્યા બાદ યોગ્ય રીતે વાહન ચલાવવું પણ જરૂરી છે. જો તમે રફ ડ્રાઇવિંગમાં વ્યસ્ત રહેશો તો તે જ ગતિએ લાઇસન્સ પણ રદ કરવામાં આવશે. ચાર અલગ-અલગ રાજ્યોની પોલીસે જીવલેણ અકસ્માત, હિટ એન્ડ રન, રફ ડ્રાઇવિંગ જેવા કેસમાં લાઇસન્સ રદ કરવા માટે અમદાવાદ RTOને 850 ફરિયાદો મોકલી હતી. જેમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન, ગોવા અને મહારાષ્ટ્રની પોલીસ દ્વારા અમદાવાદના વાહન ચાલકોની ફરિયાદો આરટીઓને મળી હતી. જેના કારણે અમદાવાદ આરટીઓ તાત્કાલિક અસરથી આર. એસ. દેસાઈએ કાર્યવાહી હાથ ધરી છે. આગામી દિવસોમાં અમદાવાદના માર્ગો પર રફ (ઝડપી) વાહનો ચલાવનારાઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.