આવકવેરા વિભાગે ગુજરાતના અમદાવાદના બોપલ રોડ પર સ્થિત ચિરીપાલ ગ્રૂપ (ટેક્ષટાઈલ અને એજ્યુકેશન બિઝનેસ)ની હેડ ઓફિસ પર દરોડા પાડ્યા છે. આ દરમિયાન આવકવેરા વિભાગે સંસ્થાપક અને અધ્યક્ષ વેદપ્રકાશ ચિરીપાલ, ડિરેક્ટર વિશાલ ચિરીપાલ અને રૌનક ચિરીપાલ અને એમડી જ્યોતિપ્રસાદ ચિરીપાલ સાથે સંબંધિત 35-40 અન્ય સ્થળો પર પણ દરોડા પાડ્યા હતા.
શહેરમાં ચીરિપાલ ગ્રુપ પર ઇન્કમટેક્સ વિભાગે સપાટો બોલાવ્યો છે. ટેક્સટાઇલ અને શિક્ષણ સાથેના વ્યવસાયમાં ચિરિપાલ ગ્રુપ સંકળાયેલું છે.
બીજી બાજુ શહેરના શિવરંજની પાસે આવેલા ચિરીપાલ હાઉસ પર પણ IT ત્રાટક્યું છે. હાલ અમદાવાદની આંબલી અને શિવરંજની સહિતની ચિરિપાલ ગ્રુપની ઓફિસ પર દરોડા પાડીને તપાસ ચાલી રહી છે. અમદાવાદમાં કુલ 35થી 40 જગ્યાઓ પર IT વિભાગે સપાટો બોલાવ્યો છે. તમને જણાવી દઈએ કે, 150 અધિકારીઓ દરોડાની કામગીરીમાં જોડાયા છે.
શહેરમાં ઘણા સમયથી આઈટીની રેડ ચાલી રહી છે. ITની કાર્યવાહીથી અમદાવાદના વેપારીઓ અને બિઝનેસ ગ્રુપોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. જેમાં જયોતિપ્રકાશ ચિરીપાલ, વિશાલ ચિરીપાલ અને રોનક ચિરીપાલને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે આ સાથે નંદન ડેનિમ અને વિશાલ ડેનિમ પર પણ આઈટીની તપાસ શરૂ થઈ છે. ITની તપાસના અંતે મોટો દલ્લો મળે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આ પહેલાં પણ ચિરિપાલ ગ્રુપ અનેકવાર ચર્ચામાં આવ્યું છે. થોડા મહિના પહેલાં જ અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આવેલા યોગીરાજ એસ્ટેટમાંથી ખેતીવાડી માટે વાપરવામાં આવતો સબસિડીયુક્ત યુરિયા ખાતરનો જથ્થો દાણીલીમડા પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે ગોડાઉન માલિક સહિત બે શખસની ધરપકડ કરી હતી. આરોપી અન્ય આરોપીઓ સાથે મળીને અમદાવાદની ફેક્ટરીઓ અને ચિરિપાલ ગ્રુપની વિશાલ ફેબ્રિક્સ નામની કંપનીમાં પોતાના નામની કંપનીની થેલીમાં યુરિયા ખાતરનો જથ્થો સપ્લાય કરતા હતા. દાણીલીમડા પોલીસે બેની ધરપકડ કરી હતી.હાલ અમદાવાદની આંબલી અને શિવરંજની સહિતની ચિરિપાલ ગ્રુપની ઓફિસ પર દરોડા પાડીને તપાસ ચાલી રહી છે