Gujarat: બહુમતિવાદી રાષ્ટ્રવાદ માટે નફરત ફેલાવવીને લોકોને ઉશ્કેરીને ચૂંટણી ક્ષેત્ર પર પકડ જમાવવા માટે વિશ્વમાં રાજકાણ ખેલાતું રહ્યું છે. જેમાં ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં 1985થી સૌથી વધારે એક ધર્મને નફરત કરાવીને બીજા ધર્મના ઉમેદવારોને ફાયદો કરાવવામાં આવી રહ્યો છે. 40 વર્ષથી નફરતના બીજ વૃક્ષ બનીને ભાજપને સત્તાના ફળ આપતાં રહ્યાં છે. પહેલાં શહેર, જિલલા, તાલુકાની સરકારો પર સત્તા મેળવી હતી. 1991થી ભાજપ ગુજરાતમાં સત્તા પર છે. સમગ્ર દેશમાં ગુજરાત મોડેલ અપનાવીને મતો મેળવવા ગંદી રાજરમતમવામાં આવી રહી છે.
સત્તાને ટકાવવા અને વધારવા માટે સાંપ્રદાયિક અને વિભાજનકારી પ્રચાર મુખ્ય મુદ્દો આ ચૂંટણીમાં પણ છે.
હિંદુ રાષ્ટ્રવાદી રાજકારણ પરનું ગુજરાત મોડ્યુલ બે મુખ્ય મુદ્દાઓ પર કેન્દ્રિત છે. એક, રામમંદીર જેવા પ્રાચીન ભૂતકાળનો ઘાર્મિક મહિમા, અને મનુસ્મૃતિના યુગના મુદ્દાઓ ફેલાવવામાં આવી રહ્યાં છે. બે, ઈતિહાસનું વિકૃતિકરણ, ખાસ કરીને મધ્યયુગીન. મંદિરોને તોડી પાડવું અને બળજબરીથી ઇસ્લામમાં ધર્માંતરણ માટે જુઠાણા ફેલાવવામાં આવે છે. વોટ્સએપ તેનું શ્રેષ્ઠ માધ્યમ છે. દરેક નાગરિક પર આવા ભ્રામક અને જૂઠા સંદેશાઓ ગુજરાતમાં મોકલવામાં આવી રહ્યાં છે. લોકો તેને સાચા માનીને મતમાં પ્રતિક્રિયા આપે છે.
મીસ્ડ કોલ કરીને સભ્ય બનાવીને વોટ્સએક પર તેમના વિશાળ નેટવર્ક દ્વારા અન્ય મુદ્દાઓ પણ ઉમેરી રહ્યા છે. અત્યાર સુધી બાબરી મસ્જિદ વિધ્વંસનો ઉપયોગ એવો પ્રચાર કરવા માટે થતો હતો કે મુઘલ શાસકોએ હિંદુઓને અપમાનિત કરવા હિંદુ મંદિરોનો નાશ કર્યો હતો. હવે આમાં ઉમેરો કરીને, 2024ની સામાન્ય ચૂંટણીઓમાં તે જ ટ્રેકને વધુ તીવ્ર રીતે પીરશવામાં આવી રહ્યો છે. છતાં બીજા રાજ્યોમાં મતદાન ઓછું થઈ રહ્યું છે.
ભાજપના નેતાઓ નફરત અને સાંપ્રદાયિક પ્રચારને ભડકાવવા માટે સાંપ્રદાયિક ઇતિહાસ લેખનનો ઉપયોગ કરીને તથ્યોને વિકૃત કરવાની કળામાં નિપુણ રહ્યાં છે. હવે નફરતનું ગુજરાત મોડેલ દેશમાં ચાલી રહ્યું છે. શ્રાવણ મહિનામાં વિપક્ષના નેતાઓ માંસ ખાઈ રહ્યાં હોવાના ફેક વિડિયો ફેલાવવામાં આવી રહ્યાં છે. જેને સીધા રમઝાન સાથે જોડી દેવામાં આવ્યા હતા. દેશના લોકોને મુઘલ માનસિકતાથી ભડકાવવા માંગે છે. તેમના મતે, આ વીડિયો તેમના રાજકીય હરીફોએ ‘વોટ-બેંક’ના રાજકારણ માટે અપલોડ કર્યા હતા!
ગુજરાતમાં કોંગ્રેસના અને આમ આદમી પક્ષના નેતાઓ પક્ષાંતર કરીને ભાજપમાં ગયા છે તેમાં અર્જુન મોઢવાડિયા અને રોહીણી ગુપ્તા સહિતના લોકો રામમંદિરના નામે મોદી સાથે હોવાનું રટણ કરતાં રહ્યાં હતા. પણ રામ મંદિર માટે જે લોકોએ આંદોલન કર્યાં હતા તે ભાજપ, વિશ્વ હિંદુ પરિષદ અને સંઘના નેતાઓને બાજુ પર મૂકી દેવામાં આવ્યા હતા.
આ વખતે એક મુદ્દો એવો જોવા મળ્યો છે કે ભાજપ દર ચૂંટણીમાં તેના પાળેલા સંતો દ્વારા ધાર્મિક નેતાઓ દ્વારા મત આપવાની અપીલ કરાવતાં હતા. આ વખતે આવું અત્યાર સુધી જોવા મળ્યું નથી. ધાર્મિક નેતાનું રૂપ પીએમ મોદીએ હવે લઈ લીધું છે. પાવાગઢ, રામ મંદિર અન બનારસના બાંધકામ પછી.
કાશ્મીરના ઈતિહાસકાર કલ્હાણે લખ્યું છે કે, કાશ્મીરના હિંદુ રાજા રાજા હર્ષદેવે હિંદુ મંદિરોમાંથી સોના અને ચાંદીની બનેલી હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓને જડમૂળથી ઉખેડવા માટે એક વિશેષ અધિકારીની નિમણૂક કરી હતી. ઔરંગઝેબે હિંદુ મંદિરોને પણ દાન આપ્યું હતું. એવી વાતો કહેવાના બદલે લોકોના દીલને ઠેસ પહોંચે એવી વાતો કરે છે. સાંપ્રદાયિક રાષ્ટ્રવાદની રમતમાં સૌથી વધુ નુકસાન સત્યને થાય છે. આવી કોમવાદી માનસિકતા સામાજિક બાબતોની વાસ્તવિકતાથી દૂર છે.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાને પીએમ મોદીએ કહ્યું કે ઢંઢેરામાં ભૂતકાળની મુસ્લિમ લીગની મહોર છે.
મુંબઈ નજીકના ધાર્મિક સ્થળ હાજી મલંગનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. બાબા બુદન ગિરી દરગાહનો મુદ્દો ઉછાળીને ત્રણ દાયકા પહેલા કર્ણાટકમાં ભાજપને મજબૂતી આપી હતી.
પીએમ મોદી એવો ડર ફેલાવી રહ્યા છે કે જો વિપક્ષી ભારતીય ગઠબંધન સત્તામાં આવશે તો તે ‘મુસ્લીમ ઘૂસણખોરો’માં સંપત્તિનું પુનઃ વિતરણ કરશે. આ દ્વારા તેઓ સંકેત આપી રહ્યા છે કે ‘અન્ય’ની આ સંપત્તિ બાંગ્લાદેશથી આવેલા મુસ્લિમોને આપવામાં આવશે. કોંગ્રેસ તમારી મિલકત ‘વધુ બાળકો ધરાવતા’ લોકોને આપશે”. આ બંને હેડલાઈન્સમાં સંકેત એકદમ સ્પષ્ટ છે કે કોંગ્રેસ મુસ્લિમોને ખુશ કરવા માંગે છે. ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે કહ્યું હતું કે મુસ્લિમોનો “રાષ્ટ્રીય સંસાધનો પર પ્રથમ અધિકાર” છે. વધુ બાળકોનો મુદ્દો પણ વડાપ્રધાન કહી રહ્યાં છે.
છેલ્લાં 40 વર્ષોમાં ગુજરાતમાં હિંદુ અધિકારનું પ્રચાર ઉપકરણ વધુ તીક્ષ્ણ બન્યું છે. તેનું ઉપકરણ એટલી હદે ફેલાઈ ગયું છે કે તેઓ આ કેસમાં ધાર્મિક લઘુમતીઓ, મુસ્લિમોને રાક્ષસી બનાવતી કથા રચી રહ્યાં છે.
લોકશાહીના ધોરણો અને બંધારણના મૂલ્યોને વળગી રહેનારાઓની હિંદુ વિરોધી છબી બનાવે છે. પીએમ મોદીની ટીકા કરનારા પત્રકારોને દેશ વિરોધી અને મોદી વિરોધી ચિતરવામાં આવે છે. આ માટે ચોક્કસ પક્ષ દ્વારા આઈટીસેલ બનાવીને જેની પાછળ હજારો લોકોને ઓછા પગારેથી રાખીને સોશિયલ મિડિયા પર ગંદી ટીપ્પણીઓ કરવામાં આવે છે.
મોટાભાગના શક્તિશાળી સમાચાર પક્ષો અને મોટાભાગની ટેલિવિઝન ચેનલો કે મીડિયા હાલમાં આ પક્ષને જબરજસ્ત સમર્થન આપી રહ્યા છે.
નફરત એ વિશ્વની સૌથી ખરાબ રાજકીય કટોકટીમાં પરિણમે છે, સૌથી મોટું જન આંદોલન બની જાય છે. બહુમતવાદી રાજકારણના જૂઠાણાંનો સાચો જવાબ આપવાનો હવે ગુજરાતમાં સમય આવી ગયો છે. ભાજપના એક સમયના પ્રખર નેતા અને વકીલ રામ જેઠમલાણીએ દેશની પ્રજાની માફી માંગી હતી. તેમણે કહ્યું હતું કે ભાજપને મતબૂત કરીને નરેન્દ્ર મોદી બનાવ્યા છે તેનો મને અફસોસ છે. હું દેશની લોકોની માફી માંગુ છું મારું આયુષ્ટ લાંબુ નથી તેથી આ બોજ લઈને જીવવા માંગતો નથી. તેથી મને માફ કરજો, મેં ખોટો લોકોને મદદ કરી હતી. આવી જ લાગણી આજે ગુજરાતમાં સંઘ, ભાજપ અને વિશ્વ હિંદુ પરિષદના નેતાઓમાં છે તેઓ ખાનગીમાં કબૂલે છે. જાહેરમાં કહી શકતાં નથી તે તેમણે ખોટો લોકોને મદદ કરી તેનો તેને અફસોસ છે.
આ એજ ગુજરાત છે જેણે સોમનાથ, અયોધ્યા, કાશી, મંદિર, મસ્જિદ, ગાય, હિંદુ-મુસ્લિમ, કોમી તોફાનો અને પાકિસ્તાનના નામે રાજકારણ ખેલ્યું હતું. તેના દ્વારા સત્તા મેળવી હતી. હવે સત્તા ટકાવી રાખવા માટે દેશમાં તેનો અમલ 6 વર્ષથી થયો છે. લોકસભાની ચૂંટણીમાં ઓછા મતદાનથી હવે બહુમતવાદી રાજકાણ ખેલતાં લોકોની આંખો ખુલી છે તેથી તેઓ વધારે ઝનૂની બની શકે છે.