તાજેતર માં જ અપક્ષ અને વડગામ બેઠક ના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી એ દિલ્હી ની અંદર કોંગ્રેસ મુખ્યાલય માં કોંગ્રેસ પાર્ટી ની વિચારધારા સાથે જોડાયા છે…કોંગ્રેસ ના પૂર્વ અધ્યક્ષ શ્રી રાહુલ ગાંધી ની હાજરી તેઓ કોંગ્રેસ પાર્ટી ની ઓફિસે પહોંચ્યા હતા અને તેમની સાથે સીપીઆઈ (એમ) નાં કનૈયા કુમાર પણ કોંગ્રેસ પાર્ટી માં જોડાયા છે..
તેઓ એક સામાજિક ચળવળ કાર તરીકે પણ તેમણે કામ કરેલું છે અને તેઓ વકીલાત પણ કરી ચુક્યા છે.
૨૦૧૬ માં તેમણે દલિત દેખાવો ની આગેવાનો પણ કરી હતી.સાપ્તાહિક “અભિયાન” માં તેઓએ પત્રકાર તરીકે પણ કામ કર્યું છે.
દલિત નેતા તરીકે ઉભરી આવેલા જીજ્ઞેશ મેવાણી હવે કોંગ્રેસ ને દલિત મત બેંક ખેંચી લાવવા માં કેટલા મદદગાર થશે એ તો સમય જ કહશે…
હજી ૨૦૨૨ ની ચૂંટણી ના આવે ત્યાં સુધી તેઓ અપક્ષ ધારાસભ્ય તરીકે જ ચાલુ રહેશે..
કોંગ્રેસ ની વિચારધારા ની સાથે તેઓ જોડાયેલા રહેશે…પણ આ રીતે તેઓ હજી કોંગ્રેસ પાર્ટી માં જોડાયેલા નથી..તેઓ માત્ર કોંગ્રેસ ની “આઇડિયોલોજી” સાથે જ જોડાયા છે
કે સી વેણુગોપાલ ની હાજરી માં પ્રેસ સમક્ષ વાર્તા માં વધુ માં તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ ની વિચારધારા એ દેશ ના લોકતંત્ર ને મજબૂત બનાવતી વિચારધારા છે..અને બીજેપી અને આરએસએસ ની વિચારધારા દેશ ની એકતા અને લોકતંત્ર ને તોડનારી વિચારધારા છે..જે થી દેશ ને બચાવવા માટે તેઓ કનૈયા કુમાર ની સાથે કોંગ્રેસ પાર્ટી માં જોડાયા છે..
ગુજરાત વિધાનસભા ની આવનારી ચૂંટણી માં જીજ્ઞેશ મેવાણી ગુજરાત કોંગ્રેસ માં શું રોલ અદા કરશે હવે એ તો જોવું રહ્યું…અને ગુજરાત કોંગ્રેસ ને કેટલો ફાયદો થશે તો સમય જ કહેશે…