રાજ્યમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રારા અમદાવાદીઓને સી પ્લેનની ભેટ આપવામાં આવી હતી જેમાં અમદાવાદ કેવડિયા સુધી આ સી પ્લેન સેવાનું પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી દ્રારા પ્રસ્થાન કરાવ્યુ હતું દેશમાં પર્યટક સ્થળોને હવાઇસેવાથી કનેકટ કરવા ઉડાન યોજના હેઠળ દેશમાં 16 રૂટ પર હવાઇ સંચાલન કરવાની જાહેરાત કરી હતી ત્યારબાદ પ્રથમવાર 31 ઓકટોમ્બર 2021ના રોજ વડાપ્રધાન નરેન્દ્રમોદીએ અમદાવાદથી કેવડિયા સુધી સી પ્લેનની સેવાનું પ્રારંભ કરાવ્યુ હતુ જો કે માંડ 1 મહિના આ સેવા ચાલી હતી ત્યારબાદ રાજ્યસરકાર દ્રારા મેઇટન્સ માટે સી પ્લેનને મોકલ્યુ હોવાનું જણાવી રહ્યુ છે જેને લઇ 2 વર્ષથી પણ વધુ સમય બંધ રહેલી સી પ્લેનની સેવાને લઇ આજે NSUIના કાર્યકરો દ્રારા રમકાંડા પ્લેન લઇ પ્રતિકાત્મિક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ NSUI દ્રારા રમકડાંના પ્લેન ઉડાવી સરકાર વિરોધી સૂત્રોચાર કરવામાં આવ્યા હતા
NSUI આરોપ છે કે કરોડ રૂપિયાના ખર્ચે સી પ્લેનની સુવિધા શરૂ કરાઇ અને તે ઝડપથી બંધ પણ કરી દેવાઇ એટલે સરકારે સી પ્લેનના નામે જનતાને માત્ર લોલીપોપ આપ્યુ હતુ તેમજ કાર્યકરોએ અમદાવાદા મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રિમોન્સૂન કામગીરી અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા જેમાં રોડ- રસ્તાઓ તૂંટેલા હાલતમાં છે 1 ઇંચ વરસાદમાં અમદાવામાં ઠેર-ઠેર પાણી ભરાઇ જાય છે જનતાના ખર્ચે શરૂ કરવામાં આવેલી કરોડો રૂપિયાની હવાઇ સેવા નિષ્ફળ નિવડી છે.
વડાપ્રધાન નરેન્દ્રમોદીના ડ્રીમ પ્રોજેકટ અને ગુજરાત સરકારના મહત્વકાંશી પ્રોજેકટ માંથી એક સીપ્લેન સેવા હતી જયાં હાલ સીપ્લેનની જગ્યા પર સરકાર દ્રારા જોય રાઇડ સેવા શરૂ કરવામાં આવી છે