રાજ્યમાં કોરોનાના દર્દીઓની સારવારમાં સૌથી મોટી અડચણ ઉભી થઈ રહી છે. તેના ભાગરૂપે અમદાવાદની પણ કેટલીક હોસ્પિટલોમાં ઓક્સિજનની ઘટ સામે આવી રહી છે. જેથી આવનાર સમય અમદાવાદ સહિત મોટા શહેરોમાં સૌથી વિકટ સાબિત થાય તો નવાઈ નહીં.
હાલ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે કે, મહારાષ્ટ્રમાંથી ઓક્સિજનની નિકાસ બંધ કરી દીધી છે. જેથી ગુજરાતની તમામ હોસ્પિટલોમાં ઓક્સિજનની કમી ઉદ્દભવી શકે છે. કોરોનાના દર્દીની સારવારમાં સૌથી મોટી અડચણના અહેવાલના પગલે ખળભળાટ મચી જવા પામ્યો છે. હાલ અમદાવાદની હોસ્પિટલોમાં ઓક્સિજનની ઘટ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે, જેના કારણે હોસ્પિટલા કોરોના દર્દીઓને પાછા કાઢી રહ્યા છે. રાજ્યમાં કેટલીક ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજન ખૂટી પડ્યો છે જેના કારણે કોરોના દર્દીઓને ખાનગીમાંથી સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં કોરોના વાયરસના દર્દીઓનાં મોત નીપજવાનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે સવારે વધુ 22 દર્દીઓનાં મોતના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. જૈ પૈકી શહેરમાં 16 તથા અન્ય જિલ્લાનાં 3 તથા જિલ્લાનાં 3 મોતનો સમાવેશ થાય છે. દરમિયાન રાજકોટ શહેરમાં આજદિન સુધીમાં ફક્ત સરકારી ચોપડે 81 મોત નોંધાયા છે. પ્રતિકાત્મક તસવીર
ગુરવારે સાંજે રાજ્યમાં કોરોના વાયરસનાના કેસમાં વધારો યથાવત્ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 1332 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1415 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 15 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3167 થયો છે. 24 કલાકમાં સૌથી વધુ સુરતમાં 78 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 109627 છે. જેમાંથી એક્ટિવ કેસ 16,230 છે. આજે રાજ્યમાં કુલ 72,151 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજો થવાનો દર 82.31 ટકા છે.