લોક ડાઉન માં પણ ગૃહ મંત્રાલયે રવિવારથી મોલ અને માર્કેટિંગ કોમ્પ્લેક્ષ સિવાયની અન્ય દુકાનોને શરૂ કરવા શરતી છૂટછાટ આપી હતી. જેને પગલે રાજ્ય સરકારે પણ રવિવારથી કેટલીક જરૂરી ચીજોનું વેચાણ કરતા નાના-મોટા દુકાનધારકોને ધંધા રોજગાર શરૂ કરવા મંજૂરી આપી હતી. જો કે રવિવારે ગુજરાતના ચાર મહાનગરોમાં વેપારી આગેવાનોએ મ્યુનિ. કમિશનર અને જિલ્લા કલેક્ટર સાથે બેઠક યોજી હતી અને 3જી મે એટલે કે લોકડાઉન સમાપ્ત થાય ત્યાં સુધી દુકાનો બંધ રાખવા સંમતિ વ્યક્ત કરી હતી. રાજ્ય સરકાર સાથે પણ વેપારી આગેવનોએ પરામર્શ કરી એકસૂર વ્યક્ત કર્યો હતો
રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં મ્યુનિસીપલ કમિશનરો અને જીલ્લા કલેકટરોએ સ્થાનિક વેપારીઓ સાથે ચર્ચા-વિચારણા કરીને રાજ્ય સરકાર સાથે પરામર્શ કર્યો છે.