અમદાવાદને સ્માર્ટસિટી તરીકે દરજ્જો મળેલો છે તેને લઇ અધિકારીઓ પદાધિકારીઓ આ બાબતનું શ્રેય પણ મેળવતા હોય છે. અમદાવાદીઓ માટે સ્માર્ટસિટી એટલે ગૌરવ પમાડે તેવી વાત છે પરંતુ સ્માર્ટસીટીમાં વરવી વાસ્તવિકતા નજરે પડી રહી છે. વિકાસની બાબતે પૂર્વ અમદાવાદ જોડે હંમેશા અન્યાય થતુ હોય તેવું પૂર્વ અમદાવાદીઓ માનતા હોય છે. રોડ-રસ્તા, પીવાનું પાણી,ગટરવ્યવસ્થા જેવી પ્રાથમિક સુવિધા આપવામાં પણ અમદાવાદનું વહીવટી તંત્ર વામણું પુરવાર થયુ છે.
ગંદગીથી ખદબદતું વિસ્તાર નરોડાના ઇન્દિરા નગરનું દશ્ય
અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા ઇન્દિરા નગર,રાજીવનગર ખાતે ગટરનું પાણી બેક મારતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યુ છે ભારે વરસાદને લઇ લોકના ઘરોમાં ગટરનું પાણી ઘુસી ચૂક્યા છે અતિશય કાદવ કિચડના કારણે રસ્તો પસાર કરવા પણ રાહદારીઓને ભારે જહેમત ઉઠાવી પડે છે. લોકો પ્રથામિક સુવિધાથી પણ વંચિત અને નકાર્ગાર જેવું જીવન જીવી રહ્યા છે.
ગટરના પાણી ઉભરાવાને પગલે સ્થાનિકોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત સતાવી રહ્યા છે રહીશોનો આરોપ છે કે અધિકારી તેમજ કોર્પોરેટરો અનેક રજૂઆત કરી છે છતાય કોઇ જોવાની પણ તસ્દી લેતો નદી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્રારા કરોડો રૂપિયાના ખર્ચે સ્વછતા સર્વેક્ષણ અભિયાન ચલાવામાં આવી રહ્યો છે. છતાંય તંત્રના અધિકારીઓનો પેટનું પાણી હલતું નથી જેને લઇ ત્યાંના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અને મદદની ગુહાર લગાવી રહ્યા છે તંત્રના આંખ આડા કાનને લઇ લોકોને ગંદગી વચ્ચે જીવન પસાર કરવા મજબૂર બન્યા છે સ્થાનિકોના જણાવ્યા મુજબ અંતિમયાત્રા પણ લઇ જવી ત્યાંથી ખૂબ જ મુશ્કેલી ઉઠાવી પડે છે છતાં તંત્ર ધોરનિંદ્રામાં ઉંધી રહ્યો છે