અમદાવાદની જૂની હોસ્પિટલોમાંની એક એવી વીએસ હોસ્પિટલના બિલ્ડીંગ તોડવાના ટેન્ડરને હોઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. ત્યારે હાઈકોર્ટમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સવાલ કર્યો હતો. હયાત હોસ્પિટલ બિલ્ડીંગ તોડી પાડવાના નિર્ણયનું કારણ શું છે તે અંગે પણ હાઈકોર્ટ તરફથી સવાલો કરાયા હતા.
હોસ્પિટલનું બિલ્ડીંગ ઘણું જૂનું અને બિસ્માર હોવાથી તોડવું જરૂરી હોવાને લઈને એએમસી તરફથી જવાબ રજૂ કરાયો હતો.ત્યારે હાઈકોર્ટે પણ આ મામલે હોસ્પિટલનું બિલ્ડીંગ તૂટ્યા બાદ શું આયોજન કરશો તેવા સવાલો કર્યો હતો. આ મુદ્દે હાલ કોઈ સૂચના ના અપાઈ હોવાની રજૂઆત વકીલ તરફથી કરવામાં આવી છે. જેથી એક સપ્તાહનો સમય પણ એએમસીના વકીલ તરફથી માંગવામાં આવ્યો હતો. અમદાવાદમાં વીએસ હોસ્પિટલના બિલ્ડિંગ તોડ્યા બાદ શું આયોજન છે તેને લઈને કોર્પેોરેશન તરફથી આ મુદ્દે હાલ કોઈ સૂચના ના હોવાની વકીલે રજૂઆત કરી છે.
જો કે, શું આયોજન છે તેને લઈને પણ રજૂઆત કરાશે.ઉલ્લેખનીય છે કે, વીએસ હોસ્પિટલના બદલે અત્યારે એસવીપી હોસ્પિટલ કાર્યરત છે. વીએસ હોસ્પિટલને તોડીને અગાઉ નવીનીકરણ કરવાનો પણ વિચાર હતો. અગાઉ એવી પણ વાત હતી કે, 100 કરોડના ખર્ચે વીએસ હોસ્પિટલનું નવીનિકરણ કરવામાં આવે ખાસ કરીને એસવીપી હોસ્પિટલ બન્યા બાદ તે પણ ખોટ કરી રહી હોવાનું સામે આવ્યું છે ત્યારે નવી હોસ્પિટલ ખર્ચ કરીને બનાવવી કે કેમ તેને લઈને પણ સવાલો છે. ત્યારે વીએસ હોસ્પિટલમાં અગાઉ કોરોનામાં બેડ પણ ઉભા કરાયા હતા.