પૂર્વ અમદાવાદને ડ્રેનેજમાંથી મુક્તિ, 81.40 કરોડનો વિકાસકાર્ય પૂર્ણ

By
Arati Parmar
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding...
2 Min Read

કઠવાડાથી વિંઝોલ STP સુધી નવી મુખ્ય ડ્રેનેજ લાઈન

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં લાંબા સમયથી લોકો ગટર ઊભરાવા અને વરસાદી પાણી ભરાવાની મુશ્કેલીનો સામનો કરતા હતા. હવે આ સમસ્યાનું સમાધાન લાવતી 81.40 કરોડ રૂપિયાની કિંમતની નવી પૂર્વ મેઇન ટ્રંક લાઈન નાંખવામાં આવી છે. આ લાઈન નિકોલના કઠવાડાથી શરૂ થઈને વિંઝોલ ખાતે આવેલી રિસાયકલ કેન્દ્ર સુધી જઈ રહી છે.

પાંચ લાખથી વધુ નાગરિકોને મળશે સફાઈની સુવિધા

આ લાઈનમાં નિકોલ, ઓઢવ, વસ્ત્રાલ, રામોલ અને હાથીજણના વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે. લગભગ પાંચ લાખથી વધુ નાગરિકો આ નવી લાઈનથી લાભાન્વિત થશે. તેમના વિસ્તારમાં હવે ગટર ઊભરાવાની અને વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઘણે અંશે ઓછી થશે.

Ahmedabad Drainage Project 1.jpg

આરોગ્ય મંત્રી અને શહેરના પ્રતિનિધિઓએ લોકાર્પણ કર્યું

આ વિશાળ પ્રકલ્પનું ઉદ્ઘાટન રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તથા રાજ્યકક્ષાના મંત્રી જગદીશ પંચાલ દ્વારા કરવામાં આવ્યું. મેયર પ્રતિભા જૈને પણ પ્રસંગે ઉપસ્થિત રહી જણાવ્યું કે નિકોલ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વખતે જે સમસ્યાઓ થતી હતી, તે હવે ઉકેલાઈ જશે.

અત્યાર સુધીની સમસ્યાઓનું નિવારણ

અગાઉ નિકોલ, ઓઢવ અને વસ્ત્રાલ જેવા વિસ્તારોમાં અનેક વખત ગટરની લાઈનો બેક મારતી હતી અને વરસાદી પાણી રસ્તા ઉપર ભરાઈ જતાં લોકોને ખુબ હાલાકી ભોગવવી પડતી હતી. હવે નવી R.C.C. ગ્રેવીટી લાઈન તથા રાઇઝિંગ લાઇનની મદદથી પાણી અને ગટર બંને ઝડપથી નિકળી શકશે.

Ahmedabad Drainage Project 2.jpg

પંપિંગ સ્ટેશનોની નવી સુવિધા પણ કાર્યરત

ઓઢવ વિસ્તારના 310 પંપિંગ સ્ટેશનની ક્ષમતા પણ વધારવામાં આવી છે. લગભગ 12 કરોડ રૂપિયાના ખર્ચે 6 મોટા પંપ લગાવવામાં આવ્યા છે, જે કલાકે લગભગ 2200 ક્યુબિક મીટર પાણી બહાર કાઢી શકે છે. સાથે સાથે લાલગેબી સર્કલથી રાધે હિલ્સ રોડ સુધી પણ 1200 એમએમની નવી લાઈન નાખવામાં આવી છે.

પૂર્વ વિસ્તારના તમામ મોટા વિસ્તારોને મળશે લાભ

નવા ટ્રંક લાઈનના કારણે નિકોલ ગામ, શુકન ચાર રસ્તા, શાલીગ્રામ સ્કાય, સુરભી તળાવ, ગોપાલ ચોક સહિત અનેક વિસ્તારોને ગટર બેકિંગથી મુક્તિ મળશે. રામોલ, હાથીજણ જેવા વિસ્તારોમાં પણ વરસાદી પાણીનો ઝડપી નિકાલ શક્ય બનશે.

Share This Article
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding of regional culture, social issues, and current events, she brings clarity, authenticity, and relevance to every piece she writes. Arati is committed to presenting factual and reader-friendly news content that resonates with the Gujarati-speaking audience. Follow her for trusted local news, thoughtful insights, and culturally rooted reporting — all in your language.