Ahmedabad Plane Crash: વિદેશી મીડિયા સામે પાયલટોનું કડક વલણ

Arati Parmar
3 Min Read

Ahmedabad Plane Crash: ખોટી અફવાઓના વિરોધમાં ઊભા રહ્યા ભારતીય પાયલટ્સ

Ahmedabad Plane Crash: અમદાવાદમાં થયેલી AI171 વિમાન દુર્ઘટનાને લઈને અમેરિકા સ્થિત મોટા સમાચાર સંસ્થાઓએ પાયલટ્સ પર સીધા આરોપ મૂક્યા હતા. ‘વોલ સ્ટ્રીટ જર્નલ’ અને ‘રોઇટર્સ’ જેવા વિશ્વસનીય મનાતા મીડિયા હાઉસોએ અહેવાલ આપ્યો કે કેપ્ટને ઇંધણના સ્વીચ ઘાટથી હટાવી દીધા હતા, જેનાથી વિમાન નીચે પડ્યું. આ અહેવાલોને ખોટા અને જાતથી પેદા કરેલા ગણાવી ભારતીય પાયલટ્સના સંગઠન ફેડરેશન ઓફ ઇન્ડિયન પાયલટ્સ (FIP) એ કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.

AAIBએ સ્પષ્ટતા કરી: “દૂર્ઘટનાનું કારણ હજી અસ્પષ્ટ છે”

વિમાન દુર્ઘટના અંગે ભારતના એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા પ્રસિદ્ધ કરાયેલા પ્રારંભિક અહેવાલ મુજબ, બોઇંગ 787 ડ્રીમલાઇનરના બંને ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ ટેકઓફ પછી તરત જ ‘રન’ થી ‘કટ ઓફ’ સ્થિતિમાં ગયેલા હતા. પરંતુ અહેવાલે ક્યાંય પણ પાયલટ્સને દોષિત ઠેરવ્યા નથી. કોકપીટ વોઇસ રેકોર્ડિંગ મુજબ એક પાયલટએ પૂછ્યું હતું કે ઈંધણ કેમ બંધ થયું, જયારે બીજાએ જવાબ આપ્યો કે તેણે આવું કર્યું નથી.

Ahmedabad Plane Crash

પાયલટ્સ સંગઠનનો આક્રોશ અને કાનૂની નોટિસ

FIP પ્રમુખ કેપ્ટન સી.એસ. રંધાવાએ જણાવ્યું કે વિદેશી મીડિયાના આ દાવાઓ પાયલટ્સની પ્રતિષ્ઠાને ઘાટ પહોંચાડે છે અને પાયલટોના ઘોર અપમાન સમાન છે. તેમણે જણાવ્યું કે રોઇટર્સ અને વોલ સ્ટ્રીટ જર્નલ બંનેએ ભૂલથી ભરેલા અહેવાલ આપી વિમાનીય વ્યવસ્થાની નરમાઇ પર હુમલો કર્યો છે. સંગઠને આ અહેવાલોને પાછા ખેંચવાની અને માફી માંગવાની માંગ કરી છે.

ઉડ્ડયન ક્ષેત્રનો વિશ્વાસ ધૂંધળો કરી શકે છે આવા અહેવાલો

એરલાઇન પાયલટ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (ALPA-I) એ પણ આ ખોટા અહેવાલોની તીવ્ર ટીકા કરી છે. તેમણે ચેતવણી આપી કે આ પ્રકારની અપવાદ વિહોણી અટકળો ભારતની ઉડ્ડયન વ્યવસ્થામાં જનવિશ્વાસ ઓછો કરી શકે છે. ALPA-I અને FIP બંનેએ મીડિયા હાઉનસે જવાબદાર બનાવીને કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.

Ahmedabad Plane Crash

NTSBએ પણ અમેરિકન મીડિયાને ઠપકો આપ્યો

અમેરિકા નેશનલ ટ્રાન્સપોર્ટ સેફ્ટી બોર્ડ (NTSB) એ પણ નિવેદન આપીને જણાયું કે, ઘણા મીડિયા અહેવાલો ઉતાવળભર્યા છે અને પુરાવા વગરના દાવાઓ પર આધારિત છે. NTSB પ્રમુખ જેનિફર હોમેન્ડીએ કહ્યું કે તેઓ ભારતના AAIBના અભિગમને સમર્થન આપે છે અને પુરી તપાસ પૂરી થાય ત્યાં સુધી કોઈ પણ નિષ્કર્ષ ન કાઢવાની ભલામણ કરે છે.

દુઃખદ ઘટનામાં સંયમ જરૂરી

AAIBએ ખાસ કરીને જણાવ્યું કે તપાસ હજુ પ્રારંભિક તબક્કામાં છે અને અત્યંત સંવેદનશીલ દુર્ઘટનાને રાજકીય કે મીડિયા હેતુથી યોગ્ય નથી. તેઓએ દુર્ઘટનામાં મૃત્ય પામેલા લોકોના પરિવારજનો માટે સંવેદના વ્યક્ત કરીને મીડિયા અને જનતાને સંયમ રાખવા અપીલ કરી છે.

ફેક ન્યુઝ સામે કડક વલણની જરૂર

વિમાન દુર્ઘટનાઓ જેવી ગંભીર ઘટનામાં સાચા પુરાવા વગર પાયલટ્સને દોષિત ઠેરવવા જેવો પ્રયાસ માત્ર ખોટો નથી પણ ખતરનાક છે.

Share This Article