જ્યાં માતા બની આગ સામે ઢાલ: અમદાવાદ પ્લેન દુર્ઘટનાની કરુણ કથા

By
Arati Parmar
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding...
2 Min Read

ભયાનક દુર્ઘટનામાં પણ માતાનો પ્રેમ જીતી ગયો

અમદાવાદમાં પ્લેન દુર્ઘટનામાં વિમાન એક રહેણાંક મકાન પર તૂટી પડ્યું અને ભયાનક આગે આખો વિસ્તાર લપેટી લીધો. એ જ કાટમાળ વચ્ચે એક માતાએ પોતાના નાનકડા દીકરાને જીવનદાન આપ્યું – પોતાના શરીરથી ઢાંકી અને બચાવી લીધો.

આઠ મહીનાના ધ્યાંશને માતાએ પોતાની છાતીએ છુપાવ્યો

આઠ મહીનાના ધ્યાંશ અને તેની ૩૦ વર્ષીય માતા મનીષા કાછડિયા એ મકાનમાં રહેતા હતા જ્યાં વિમાન તૂટી પડ્યું હતું. અંધારું, ધુમાડો અને ગરમી વચ્ચે મનીષાએ તેના દીકરાને છાતીથી ચોટાડી રખ્યો અને પોતે આગમાં દાઝતી રહી, છતાં બહાર દોડીને પોતાના દીકરાનું જીવન બચાવ્યું.

Ahmedabad Plane Crash 22.jpeg

મોત સામે લડીને જીતનાર મા-દીકરો

આ દુર્ઘટનામાં બંને ગંભીર રીતે દાઝી ગયા હતા. ધ્યાંશના શરીરનું ૩૬ ટકા ભાગ બળી ગયો હતો, જ્યારે મનીષાનો ચહેરો અને હાથ બળી ગયા. બંનેને તરત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જીવન અને મોત વચ્ચે પાંચ અઠવાડિયા સુધીની લડાઈ પછી, બંનેને તાજેતરમાં રજા આપવામાં આવી.

માતાના શરીરની ત્વચાથી દીકરાને નવું જીવન

ડોક્ટરોએ જણાવ્યું કે, ધ્યાંશની ઉમર નાની હોવાથી તેની પોતાની ત્વચા લઈ શકાય તેમ ન હતી. તેથી મનીષાની ત્વચા કાપીને તેના દીકરાના શરીર પર લગાવવામાં આવી. તે સમયે ચેપનો પણ મોટો ખતરો હતો. છતાં માતાએ પોતાની ત્વચા આપી દીધી – એક વખત નહિ, બે વખત પોતાના દીકરાનું જીવન બચાવ્યું.

જ્યાં મા બની દીકરાની ઢાલ

મનુષ્યનાં શરીર પર ઘા પડી શકે, પણ માતૃત્વ પર નહિ. મનીષાના ચહેરા પર ઘા છે, પરંતુ તેના હૈયામાં આશાનો પ્રકાશ છે. તે કહે છે: “હવે મારું જીવન એના ચહેરાના સ્મિત અને શ્વાસમાં સુકૂન છે.”

Ahmedabad Plane Crash 21.jpeg

અન્ય દર્દીઓ માટે નિ:શુલ્ક સારવારનું માનવતાનું કૃત્ય

કેડી હોસ્પિટલના ડોક્ટરો અને નર્સોએ આ કામગીરી કરી. મફતમાં ૬ દર્દીઓની સારવાર કરવામાં આવી જેમાં મનીષા અને ધ્યાંશ પણ સમાવિષ્ટ છે. આ દુર્ઘટનામાં જ્યાં બધે અવસાદ હતો, ત્યાં આ મા અને દીકરાની જીવનયાત્રા આશાની કિરણ બની.

આપત્તિમાં પણ માતૃત્વનો અજોડ પ્રકાશ

મૃત્યુની અંધારી પળોમાં ધ્યાંશ માટે તેની માતાનો ખોળો એ આશરો નહી, પણ જીવંત ઢાલ હતી… આ પ્રસંગે ફરી એકવાર માતૃત્વનું અસીમ યથાર્થ સાબિત થયું – મા ફક્ત જન્મદાત્રી નથી, તે મૃત્યુ સામે ઊભી રહેનાર અદમ્ય શક્તિ છે.

Share This Article
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding of regional culture, social issues, and current events, she brings clarity, authenticity, and relevance to every piece she writes. Arati is committed to presenting factual and reader-friendly news content that resonates with the Gujarati-speaking audience. Follow her for trusted local news, thoughtful insights, and culturally rooted reporting — all in your language.